Thursday 25 July 2013

સુવિચાર-૩

સુવિચાર
v  નદી કે સાગરનું પાણી બંને કાંઠામાં મર્યાદામાં ન રહે તો વિનાશ સર્જે છે.
v  કોઇ પણ વસ્તુ સારી અથવા ખરાબ નથી પણ તમારા વિચારો તે રીતે તમને બનાવે છે.
v  કોઇની પ્રગતિનું સોપાન ન બની શકો તો કંઇ નહિ પણ કોઇની અધોગતિનો ખાડો તો ન જ બનો.
v  જ્ઞાન મેળવવું સહેલું છે પણ પચાવવું – ટકાવવું મુશ્કેલ છે.
v  જીવન શ્રેષ્ઠ બનાવવું હોઇ તો ઓછું બોલો, ઓછું ખરચો અને ઓછું ખાઓ.
v  હોઠ બહાર નીકળેલો શબ્દ કેટલા પણ ઘોડાની માદદથી પાછો વાળી શકાતો નથી, એટલે જ વિચારપૂર્વક બોલવું જોઇએ.
v  ધ્યેય વિનાનું જીવન આંકડાં વગરના મીંડા જેવું છે.
v  જે માણસ ફરજ નથી સમજતો ને અધિકાર જ સમજે છે તે પ્રાણી સમાન છે.
v  સામા માણસને ઉતારી પાડતા પહેલાં તમને કોઇ ઉતારી પાડે તો કેવું થાય તે વિચારી જોવું જરૂરી છે.
v  માન માગશો નહિ, માન આપજો. પ્રેમ માગશો નહિ, પ્રેમ આપજો.
v  મનુષ્ય જે કાંઇ ખાય છે તેનાથી નહિ પણ જેટલું પચાવી શકે છે, તેનાથી બળવાન બને છે.
v  આપણે કેટલું જીવીએ છીએ તેનું મહત્વ નથી પણ કેવી રીતે જીવીએ છીએ તેનું મહત્વ છે.
v  ભૂલ થઇ જાય તેમાં પાપ નથી પરંતુ કરેલી ભૂલ છૂપાવવામાં ભયંકર પાપ છે.
v  સત્ય અને માધુર્ય ભાષા બોલો. સત્ય હોવા છતાં બીજાના દિલને  દુ:ખાવનારી બાબત હોય તો મૌન રહો.
v  મારી ભૂલ, ટીકા અથવા દોષ કોઇ નહિ કાઢે તેવા સમયની રાહ જોનાર માણસ કંઇ પણ કરી શકશે નહિ.
v  વેરનો બદલો વેરથી નહી લેતા પ્રેમથી લેશો તો જગતમાં તમારો એક વેરી ઓછો કર્યાનો લાભ મળશે.
v  ફુલ પાથરનારને સુવાસ મળે છે. અને શૂળ પાથરનારને શૂળના ડંખ.
v  નિડર બનીને આગળ વધવાવાળા ને જીવનમાં કદી નિષ્ફળતા મળતી નથી.
v  જે કોઇને જિંદગી આપી શકતો નથી એને કોઇનો જીવ લેવાનો પણ અધિકાર નથી.
v  કોઇએ તમારા માટે શું કર્યુ તેના કરતાં તમોએ કોઇના માટે શું કર્યુ તે પહેલા વિચારો.
v  શત્રુ કરતા દોસ્તને ક્ષમા આપવાનું કામ વધુ કપરું છે.
v  ક્રોધ એક પ્રકારનું તોફાન છે. તે જ્યારે આવે છે ત્યારે વિવેકને નષ્ટ કરે છે.
v  અનુભવ એ દરેક માણસે પોતની ભૂલોને આપેલું નામ છે.
v  ભૂતકાળ ડહાપણ માટે છે, વર્તમાન કાર્ય માટે અને આનંદ માટે ભવિષ્યકાળ છે.
v  ધીરજ કડવી હોય છે, પણ ફળ મીઠા હોય છે.
v  વહી જતાં સમયને ઉપયોગ કરો નહીંતર પસ્તાશો.
v  ક્ષમા આપવી ઉતમ છે પણ એને ભૂલી જવું એ એના કરતાં પણ વધું ઉતમ છે.


No comments: