Thursday 25 July 2013

સુવિચાર-૪

v  બીજા શું કરે છે તેની સામુ ન જોતા મારી શી ફરજ છે તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે.
v  કાચ, મન અને મોતી તૂટયા પછી સંધાતા નથી.
v  નાની બાબતોનો ખ્યાલ રાખો. નાની એવી તિરાડને લીધે મોટા બંધનો તૂટી જાય છે.
v  પડોશીની સો ભૂલ સુધારવા કરતા પોતાની એક ભૂલ સુધારવી એ સર્વશ્રેષ્ઠ છે.
v  કોઇને મિત્ર ન બનવો તો કંઇ જ નહિ, પણ દુશ્મન તો ન જ બનાવો.
v  પારકા માટે પગથિયું ન બની શકો તો કાંઇ જ નહિ ખાડો તો ન જ બનો.
v  સાપને દાંતમાં, માખીને માથામાં અને વીછીં ને પૂછડામાં ઝેર હોય છે પરંતુ દુર્જન લોકોને અંગે અંગમાં ઝેર હોય છે.
v  તમે બીજા તરફ કાદવ ઊછાળશો તો તે કાદવ બીજાને ગંદા કરશે કે ન કરે, પણ તમારા હાથ તો ગંદા કરશે જ.
v  સમયનો સદઉપયોગ કરવા માટે આપણે દરરોજ એવી  રીતે જીવવું જોઇએ કે જાણે એ દરેક દિવસ આપણા જીવનનો આખરી દિવસ હોય.
v  સાદગી એ જીવનની એક એવી વિદ્યા છે જે મનુષ્યની કીર્તિ વધારે છે.  
v  પથ્થર જેવા ન બનો, નહિ તો ડૂબી જશો. પીંછા જેવા બનો તો તુફાનામાં પણ તરતા રહેશો.
v  ઇમારત ચણાવો તો જો જો કે જમીન કેવી છે. મિત્રતા બાંધો તો જો જો કે સ્વભાવ કેવો છે.
v  બુદ્ધિ છે બાપા જેવી એને કમાઉ દીકરો જ ગમે છે. જ્યારે હ્યદય છે માં જેવું એને કમજોર દીકરોય ગમે છે.
v  સમર્પણ છે લાકડા જેવું, એને કોઇ ડૂબાડી શકતું નથી, જ્યારે અહંકાર છે પથ્થર જેવો એને કોઇ તારી શકતુ નથી.
v  થોડું વાંચવુ અને વધું વિચારવુ, થોડું બોલવું અને વધુ સાંભળવુ એ જ બુદ્ધિમાન થવાનો ઉપાય છે.
v  જે તમારી પાસે છે તે આપો અને જે તમારી પાસે નથી તે મેળવવાનો પ્રયત્ન કરો આજ જીવનની સુંદર પ્રક્રિયા છે.
v  અવસરને અનુરૂપ વાત કરવી, સામર્થ્યને અનુકૂળ સાહસ કરવું અને શક્તિને  અનુરૂપ  ક્રોધ કરવો.
v  જીવન એક મુસાફરી છે એ મુસાફરીનો ક્યારે અંત આવી જાય એની ખબર આપણને હોતી નથી. માટે એ મુસાફરીને સમજી વિચારીને સફળ બનાવવા પ્રયાસ કરવો જોઇએ.
v  બીજા માણસના હ્રદય જીતી લેનાર માણસ ભાગ્યશાળી ગણાય છે. પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેના જેવો બીજો કોઇ ભાગ્યશાળી નથી.   
v  બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે, એથી વિશેષ એ ઊભી કરે છે.
v  દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે આપણે જેવા બહારથી દેખાવા ઇચ્છીએ છીએ તેવા અંદરથી પણ બનીએ.

v  ચાર વસ્તુઓથી મનુષ્યની ઇચ્છા પૂર્ણ થઇ જાય છે. ઉતમ માણસોના સંગમાં રહેવાથી, સજ્જનોની સલાહ લેવાથી, દૂષ્ટ વ્યક્તિઓથી દૂર રહેવાથી અને ફકીરો સાથે મિત્રભાવ રાખવાથી.  

No comments: