Thursday 28 February 2013

માર્ચ માસના મહત્વના દિવસો

માસ
તારીખ
 દિવસો
માર્ચ
1
આર્મી પોસ્ટલ સર્વિસ દિન

2
વિશ્વ કીડની દિવસ, કોમનવેલ્થ દિવસ

4
રાષ્ટ્રીય સુરક્ષા દિન.

8
આંતરરાષ્ટ્રીય મહિલા દિન.

12
રાષ્ટ્રમંડળ દિવસ


દાંડીકુચ દિન.

15
વિશ્વ ગ્રાહક દિન

19
વિશ્વ વિકલાંગ દિન.

21
વિશ્વ વન દિન.

22
વિશ્વ પાણી દિવસ.


વિશ્વ દ્દ્ષ્ટિ દિવસ

23
વિશ્વ ઋતુ વિજ્ઞાન દિન,વિશ્વ વાયુશસ્ત્ર દિવસ


શહીદ ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવ પુણ્યતિથિ

24
વિશ્વ ક્ષય રોગ દિવસ, ભારતીય ડાક જીવન વીમા દિવસ

27
આંતરરાષ્ટ્રીય રંગમંચ દિવસ

28
રાષ્ટ્રીય નૌકા દિવસ

30
રાજસ્થાન દિવસ.

૨૮ મી ફેબ્રુઆરી


ગીતકાર કવિ ઇન્દીવર

      ગીતકાર ઇન્દીવરનો જન્મ મધ્યપ્રદેશના બરવાસાગરા ગામમાં થયો હતો.તેમનામાં જન્મ જાત કાવ્યસંસ્કાર બીજ હતું. એ વખતે તેઓ રાષ્ટ્રપ્રેમની કવિતા રચતા. તેમનો કાવ્ય સંગ્રહ પ્યાર બાંટતે ચલો પ્રગટ થયો. સંગીતકાર કલ્યાણજી અને ઇન્દીવર વચ્ચે અતૂટ સેતુ રચાયો અને સુંદર ગીતોની હારમાળા સર્જાણી.એ પછી પૂરબ ઔર પશ્ચિમ જોની મેરા નામ’,’અમાનુષ’,’સમઝૌતા’,’અનોખીરાત’, જેવી ફિલ્મોના ગીતો ખૂબ જ પ્રખ્યાત થયા છે. ફિલ્મ સરસ્વતીચંદ્ર ના તમામ ગીતો સુપરહીટ થયા છે. ચંદના સા બદન ગીતને તો શ્રેષ્ઠ ગીતનો ફિલ્મ ફેર એવોર્ડ પ્રાપ્ત થયેલ.ફિલ્મ ઉપકાર અને પ્રેમગીતના ગીતો પણ અંત્યત લોકપ્રિય છે. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેમણે  400 થી વધારે ફિલ્મોમાં 2500 ઉપરાંત ગીતો લખ્યાં છે. કવિ ઇન્દીવર 28-02-1997 ના રોજ મૃત્યુ પામ્યા.    

૨૭ મી ફેબ્રુઆરી


ચંદ્રશેખર આઝાદ
                ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્યપ્રદેશના એક ગામમાં થયો હતો. નાનપણમાં પિતાએ ઠપકો આપતાં રિસાઇ , ઘરછોડી કાશી ગયા અને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ છોડી ચંદ્રશેખર ક્રંતિકારી દળમાં જોડાયા.સંગઠનશક્તિ તથા સાહસિક સ્વભાવને કારણે સૌના માનીતા થઇ ગયા અને વીરપુરુષોના એ નેતા બની ગયા. એમને પકડવા સરકારે હજારોના ઇનામો જાહેર કર્યા હોવા છતાં, એની લાલચ ક્રાંતિદળમાં કદી કોઇને સ્પર્શી ન હતી. એક દિવસ અલ્હાબાદના એક બાગમાં પોલીસોએ તેમને ઘેરી લીધા. લાગ્યું કે હવે અહીંથી છટકાશે નહીં એટલે છેલ્લી ગોળી પોતાના જ લમણામાં ઝીકી ચિરશાંતિની ગોદમાં પોઢી ગયાં. એ દિવસ હતો ઇ.૧૯૩૧ના ફેબ્રુઆરી માસની ૨૭મી તારીખનો.

૨૬ મી ફેબ્રુઆરી


   વિક્ટર હ્યુગો
              વિક્ટર હ્યુગોનો જન્મ તા. ૨૬-૦૨-૧૮૦૨ના રોજ થયો હતો. પિતાની સાથે વિવિધ દેશોની સફરને કારણે અનુભવનું  ભાથું સંચય કરવાનું સદભાગ્ય અને મળ્યું હતું. ઓડ્ઝ એન્ડ બેલેડ્ઝ નામના એના પ્રથમ  કાવ્યસંગ્રહે એની વિશિષ્ટ કાવ્યપ્રતિભાનું દર્શન કરાવ્યું. તેણે લખેલી બાળકો માટેની વાર્તાઓ વ્યાપક લોકાદર પામી છે. એમના દ્રારા ઊર્મિકાવ્યો, નવલકથાઓ, નાટકો અને રાજદ્રારી લખાણો એમ વિપુલ સાહિત્યસર્જનનો પ્રવાહ અવિરત વહ્યા કર્યો. એની રંગદર્શિતા અને માનવ પ્રત્યેનો એનો ઊંંડા સમભાવ એની કૃતિઓમાં સભર રીતે વિસ્તરેલો છે. ૧૮૮૫માં પેરિસ ખાતે તેમનું અવસાન થયું.   

૨૫ મી ફેબ્રુઆરી


 રવિશંકર મહારાજ
              મૂક સેવક શ્રી રવિશંકર મહારાજનો જન્મ તા.૨૫-૦૨-૧૮૮૪ના રોજ ખેડા જિલ્લાના એક ગામમાં થયો હતો. મહારાજ નાનપણથી જ નિર્ભય. ભૂત જોવા મધરાતે સ્મશાનમાં જવું, લડતા પાડાને લાકડી વડે છૂટા પાડવા, બહારવટિયાના શોધમાં એકલા ઘૂમવું એ તો મહારજને માટે રમત વાત. કુદરતી આફતો કે મહામારી વખતે લોકોની સેવા કરવામાં તેઓ હંમેશામોખરે રહ્યા હતા. કોમી હુલ્લડ વખતે હિન્દુ-મુસ્લિમ લતાઓમાં નિર્ભય થઇને ફરતા અને ભાઇચારો સ્થાપવાનો પ્રયાસ કરતા. ગુજરાતના અલગ રાજયની રચના થતાં ગુજરાત રાજ્યનો શુભારંભ તેમના હસ્તે થયો હતોશ્રમ, સાદાઇ અને સંયમ એ મહારાજના જીવનનાં ત્રણ મુખ્ય ગુણો હતો. પૂજ્ય રવિશંકર દાદાનું ઇ. ૧૯૮૪માં શતાબ્દિ આયુષ્ય ભોગવીને નિધન થયું.

૨૪ મી ફેબ્રુઆરી


 સંત પ્રસાદ ભટ્ટ
             એસ. આર. ભટ્ટ્નો જન્મ સુરત ખાતે તા. ૨૪-૦૨-૧૯૧૬ના રોજ થયો હતો. અભ્યાસ પૂર્ણ કરી અધ્યાપક તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ અમદાવાદની બી.ડી. આર્ટસ કોલેજમાં આચાર્ય તરીકે જોડાયા. શેક્સપિયર સાથે ભટ્ટ સાહેબને ગાઢ આત્મીયતા હતી. તેઓ સાહિત્ય પર બોલે ત્યારે સોળે કળાએ ખીલી ઊઠતા. એમણે શેક્સપિયર સોસાયટીની સ્થાપના કરી. ૬૦,૦૦૦ રૂપિયા જેવી માતબર રકમ ઇંગ્લીશ ઇંન્સ્ટિટયૂટની સ્થાપના માટે અર્પણ કરી હતી

Sunday 24 February 2013

આપણું શરીર


v આપણું શરીર
·         આપણું શરીર અનેક નાના- મોટા અવયવોનું બનેલું છે. આપણા શરીરની રચના અને દરેક અવયવનું કાર્ય નવાઇ પમાડે તેવાં છે.
૧. હ્દય (Heart)
              હ્દય એ સ્નાયુઓનો બનેલો ધમણ જેવો પોલો અવયવ છે. હ્દય સતત ધબકતું રહીને આખાયે શરીરમાં લોહીને ફરતું રાખે છે. હ્દયનું કદ લગભગ વાળેલી મુઠ્ઠી જેટલું હોય છે. તંદુરસ્ત પુખ્ત માણસના હદયનું વજન આશરે ૩૦૦ ગ્રામ જેટલું હોય છે. એક મિનિટમાં હ્દય આશરે ૭૦-૭૨ વખત ધબકે છે, એટલે કે એક દિવસમાં તે એક લાખ વખત ધબકે છે અને છતાં થાકતું નથી ! શરીરમાંથી ઓક્સિજનવિહીન લોહી હ્દયના જમણા ભાગમાં આવી ત્યાંથી શુદ્ધ થવા માટે ફેફસાંમાં જાય છે. હ્દયનો ડાબો ભાગ ફેફસાંમાંથી શુદ્ધ ઓક્સિજનવાળું લોહી ખેંચે છે. આ ઓક્સિજનયુક્ત લોહી ત્યાંથી આખા શરીરમાં ધકેલાય છે.
. મગજ (Brain)
                 મગજ એ આપણા આખાયે શરીરનું નિયંત્રણ- કેન્દ્ર છે. મગજનો આકાર અખરોટ જેવો હોય છે. તે શરીરનો મૃદુ અવયવ છે. અત્યંત સખત ખોપરીની અંદર નાજુક મગજ આવેલું છે. ખોપરી દ્ધારા મગજનું રક્ષણ થાય છે. મગજ એ આપણી પ્રતિભા, બુદ્ધિ, જાગરૂકતા અને સ્મરણશક્તિનું કેન્દ્ર છે. આપની આંખ શું શું જુએ છે, આપણા કાન શું શું સાંભળે છે, આપણી ચામડી શું શું સ્પર્શે છે, આપણું નાક શું શું સૂંઘે છે તે બધી જણકારી આપણને મગજ દ્ધારા થાય છે. આપણા શરીરમાં ચાલતી બધી પ્રક્રિયાઓનું નિયંત્રણ આપણું મગજ કરે છેઆપણું મગજ કૂટપ્રશ્નો ઉકેલે છે અને ઘણું બધું યાદ રાખે છે. પુખ્ત માનવીના મગજનું વજન આશરે ૧.૫ કિગ્રા હોય છે.
3. ફેફસાં (Lungs)
                   ફેફસાં શ્વસનક્રિયા  સાથે સંકળાયેલાં છે. છાતીમાં ડાબી અને જમણી બંને બાજુએ એક –એક ફેફસું આવેલું છે. દરેક ફેફસાનું વજન આશરે ૦.૫ કિગ્રા હોય છે. નાક દ્ધારા લીધેલો શ્વાસ ગળામાં થઇને ફેફસામાં આવે છે અને ઉચ્છવાસ વાટે બહાર નીકળે છે. આમ ફેફસાં દ્ધારા હવામાંનો ઓક્સિજન લોહીમાં ભળે છે અને લોહીમાંનો કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છવાસ વાટે બહાર નીકળે છે. ફેફસાં અત્યંત સ્થિતિસ્થાપક છે. શ્વાસ લઇએ છીએ ત્યારે ફેફસાં ફૂલે છે અને ઉચ્છવાસ વખતે ફેફસાં સંકોચાય છે. આમ, શ્વાસ દ્ધારા આપણને હવમાંની પ્રાણશક્તિ પ્રાપ્ત થાય છે અને ઉચ્છવાસ દ્ધારા શરીરનો કચરો પણ બહાર નીકળી જાય છે.
૪. યકૃત (Liver)
          યકૃત એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ (Gland) છે. તે પેટમાં જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલું છે. તેનો રંગ ડાર્ક બ્રાઉન છે અને તેનું વજન ૧.૬ કિગ્રા છે. યકૃતમાં પિત બને છે. યકૃત પાચનક્રિયામાં મદદ કરે છે. નુકસાન કરે તેવી ચીજોમાંનું વિષ તે દૂર કરે છે. તે કેટલાંક વિટામિન્સ, મિનરલ્સ, ગ્લાયકોજન તથા ચરબીને જમા કરવાનું કાર્ય પણ કરે છે. આમ, યકૃત એ આપણા શરીરનો અત્યંત ઉપયોગી અવયવ છે.
૫. મૂત્રપિંડો (Kidney)
           મૂત્રપિંડો આપણા શરીરમાં લોહીને ગાળવાનું કામ કરે છે. પેડુની ઉપર પાછલા ભાગમાં બે મૂત્રપિંડ આવેલાં છે. દરેક મૂત્રપિંડ ૧૦ સેમી લાંબું, ૫ સેમી પહોળું અને ૨.૫ સેમી જાડું હોય છે. દરેક મૂત્રપિંડનું વજન આશરે ૧૪૦ ગ્રામ જેટલું હોય છે. મૂત્રપિંડ વધારાનું પાણી, ક્ષારો તથા લોહીમાંની અશુદ્ધિને ગાળવાનું કામ કરે છે અને કચરાને પેશાબ વાટે બહાર કાઢે છે.
૬. જઠર (Stomach)
            આપણું જઠર એ એક જાડી કોથળી છે. આપણે જે ખોરાક ખાઇએ છીએ તે અન્નનળી દ્ધારા જઠરમાં આવે છે. જઠરમાં ખોરાક વલોવાય છે, તેમાં જઠરરસ ભળતો જાય છે અને એક પ્રકારનો સૂપ બને છે. જઠરમાં ખોરાકના મોટા ભાગના ઘટકોનું પાચન થાય છે.
૭. આંતરડાં (Intestines)
               આંતરડાં એ આપણા શરીરમાં આવેલી સળંગ લાંબી નળી છે. આ નળી આપણા જઠર સાથે જોડાયેલી હોય છે. આપણા શરીરમાં આંતરડું બે ભાગમાં વહેંચાયેલું છે : નાનું આંતરડું અને મોટું આંતરડું. નાના આંતરડાની લંબાઇ આશરે ૬ મીટર જેટલી અને મોટા આંતરડાની લંબાઇ ૧.૪ મીટર જેટલી હોય છે. જઠરમાંથી પસાર થયા બાદ ખોરાક નાના આંતરડામાં દાખલ થાય છે અને ત્યાં તેનું પાચન થાય છે. નહિ પચેલો ખોરાક મોટા આંતરડામાં આવે છે, જેનો અંતે શરીરની બહાર મળસ્વરૂપે નિકાલ થાય છે.
૮. હાડકાં (Bones)
             આપણા શરીરમાં નાનાં-મોટાં અનેક હાડકાં આવેલા છે. આ બધા હાડકાં સાંધા દ્ધારા જોડાયેલાં છે. હાડકાં આપણા શરીરને આકાર આપે છે. હાડકાં સખત અને મજબૂત હોય છે. હાડકાં મ્રુત અને સૂકા નથી હોતાં તેઓ જીવંત હોય છે અને ભાંગે છે ત્યારે પોતાને રિપર કરી શકે છે ! હાડકાં પોલાં અને વજનમાં હલકાં હોય છે, પરંતુ તેઓ સ્ટીલ જેવાં મજબૂત હોય છે. હાડકાંના પોલાણમાં જે પદાર્થ આવેલો હોય છે તેને મજ્જા કહે છે. અસ્થિમજ્જા રક્તવાહિનીઓ ધરાવે છે, આ રક્તવાહિનીઓ હાડકાંને ખોરાક અને ઓક્સિજન પૂરો પાડે છે.
              હાડકાંના માળખાને હાડપિંજર કહે છે. આપણા હાડપિંજરમાં ૨૦૬ હાડકાં છે. નવજાતશિશુમાં આશરે ૩૦૦ હાડકાં હોય છે, જેમાંનાં ૯૪ જેટલા હાડકાં બાળક મોટું થતાં બીજા હડકાં સાથે જોડાઇ જાય છે. આપણા શરીરમાં પાંસળીઓની ૧૨ જોડ આવેલી હોય છે. પાંસળીઓ આપણા હ્દય તથા ફેફસાંને રક્ષણ પૂરું પાડે છે.
૯.લોહી (Blood)
               લોહી આપણા શરીર માટે ખૂબ અગત્યનું છે. તે શરીરના અલગ અલગ ભાગોમાંથી અશુદ્ધીઓ લઇ આવે છે, જેને ગાળવાનું કામ મૂત્રપિંડ કરે છે, ત્યારબાદ શુદ્ધ લોહી ઓક્સિજન અને પોષક તત્વોનું વહન કરે છે સરેરાશ કદ ધરાવતા મનુષ્યમાં- પુરુષમાં આશરે ૫.૫ લિટર લોહી હોય છે,જ્યારે સ્ત્રીમાં ૪.૫ લિટર લોહી હોય છે. લોહીનું વહન કરનાર નસોને રુધિરવાહિનીઓ કહે છે. આપણા શરીરમાં રુધિરવાહિનીઓનું ખૂબ મોટું નેટવર્ક રહેલું છે. હ્રદયમાંથી શરીરના અન્ય ભાગોમાં ઓક્સિજનયુક્ત શુદ્ધ લોહી (Oxygeneted blood) લઇ જનારી રુધિરવાહિનીઓને ધમની કહે છે, જ્યારે શરીરના ભાગોમાંથી હ્રદયને અશુદ્ધ – ઓક્સિજન વગરનું – કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી પહોંચાડનાર રુધિરવાહિનીઓને શિરા કહે છે.