Wednesday 28 June 2017

૨૮ મી એપ્રિલ

ગગનવિહારી મહેતા


          પ્રખર અર્થશાસ્ત્રી અને તેજસ્વી પત્રકાર ગગનવિહારી મહેતાનો જન્મ તા. ૧૫.૦૪.૧૯૦૦ ના રોજ ભાવનગરમાં થયો હતો. મુંબઇમાં શિક્ષણ લઇ સ્નાતક થયા. રાજકારણ તેમનો પ્રિય વિષય હતો. મુંબઇના વિખ્યાત રાષ્ટ્રીય દનિક બોમ્બે ક્રોનિકલ ના સહાયક તંત્રી બન્યા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. એમનું મોહક વ્યક્તિત્વ, ચારુતા અને વિનોદવૃતિને લીધે ટેરિફ કમિશન અને પ્લાનીંગ કમિશનમાં સૌથી લાયક વિશિષ્ટજન તરીકે તેમની પસંદગી થઇ હતી. અમેરિકા ખાતે હિંદના રાજદૂત તરીકે એમની નિમણૂંક થઇ. લેખનકળા અને વક્તૃત્વકળાના તેઓ બેતાજ બાદશાહ હતા. તા. ૨૮.૦૪.૧૯૭૪ ના રોજ તેમનું અવસાન થયું. 

૨૭ મી એપ્રિલ

ડૉ. મણિભાઇ દેસાઇ


                    ડૉ.મણિભાઇ દેસાઇનો જન્મ તા. ૨૭.૦૪.૧૯૨૦ ના રોજ સુરત પાસેના કોસમડા ગામે થયો હતો. કૉલેજનું છેલ્લું વર્ષ હોવા છતાં કૉલેજ છોડીને આઝાદીની લડતમાં જોડાઇ ગયા. બાપુએ તેમને સેવાશ્રમ આશ્રમમાં બોલાવ્યા. એમણે સમાજસુધારાનું કામ પણ આદર્યું. ગાંધીજીના ખોળામાં માથું મૂકીને એ બોલ્યા “બાપુજી મારી રાખ ઉરુળી કાંચનમાં પડશે. એમારી પ્રતિજ્ઞા છે.” પછે તો લોકોની વ્યસનમુક્તિ, કરજમુક્તિ પછી પડતર જમીનનો વિકાસ, શિક્ષણ વગેરે કાર્યક્રમો હાથ ધર્યા. બાયફ સંસ્થા દ્વારા કૃષિવિદ્યા, ઘાસચારા ઉત્પાદન, રેશમકીડા સંવર્ધન, પશુસંવર્ધન વગેરે અનેક પ્રકારના કાર્યક્રમો એમણે ચલાવ્યા. મણિભાઇનું ૭૩ વર્શની વયે ઉરુળીમાં અવસાન થયું. 

૨૬ મી એપ્રિલ

 ડૉ. શ્રીનિવાસ રામાનુજન

          ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ તમિલનાડુ પાસેના એક ગામડામાં થયો હતો. ગણિતના અભ્યાસના પુસ્તકો મેળવીને ઘરે અભ્યાસ કરતા અને પોતાની બુદ્ધિપ્રતિભાથી તેઓ ગણિતમાં પ્રશ્નોના ઉત્તર માટે નવી નવી તરકીબ કરતા હતા. એમની સ્મરણ શક્તિ અનન્ય હતી. સંખ્યાઓની યાદ રાખવી એમના માટે રમત હતી. એમનામાં એક અદ્વિતીય મૌલિકતા તથા વિચિત્ર પ્રતિભા હતી. રામાનુજન નિ:સંદેહ આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ ગણિતજ્ઞ છે. ઇંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વભરની અનેક સંસ્થાઓએ તેમનું વારંવાર ભવ્ય સન્માન કર્યું કે આવું સન્માન ભારતીય ગણિતજ્ઞ વિદ્વાનનું કદી થયું ન હતું. માત્ર ૩૨ વર્ષની વયે આ મહાન ગણિતજ્ઞનું ૨૬.૦૪.૧૯૨૦ ના રોજ અવસાન થયું.

૨૫ મી એપ્રિલ

ગુગ્લીમો માર્કોની


             મહાન વૈજ્ઞાનિક અને સંશોધક માર્કોનીનો જન્મ ૨૫.૦૪.૧૮૭૪ ના રોજ ઇટાલીમાં થયો હતો. અભ્યાસ દરમિયાન જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે નામ રોશન કર્યુ હતું. બાળપણથી જ તેમને વિદ્યુત સંશોધનોમાં અનોખો રસ હતો. કોઇ પણ જાતના તાર વગર અવાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનું સંશોધન કર્યું. કેનેડાની સરકારે માર્કોનીને આમંત્રણ આપી સંદેશાવ્યવહારનું સેન્ટર ઊભું કર્યું. તેમણે “અલ્ટ્રા શોર્ટ એન્ડ માઇલ વેવ્ઝ” પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. જેની મદદથી રેડિયોની શોધ થઇ. માર્કોનીન નોબેલ પુરસ્કાર મળ્યો. ઇટાલીના રાજાએ તેને માટે વારસાગત ઉમરાવપદ પણ આપ્યું. સંદેશા-વ્યવહારમાં ક્રાંતિકારી શોધ કરી દુનિયાને ઉપયોગી થનાર માર્કોનીનું ૬૪ વર્ષની ઉંમરે અવસાન થયું.  

૨૪ મી એપ્રિલ

ચાંપશીભાઇ ઉદ્દેશી

               ગુજરાતના વિખ્યાત પત્રકાર ચાંપશીભાઇ ઉદ્દેશીનો જન્મ તા. ૨૪.૦૪.૧૮૯૨ ના રોજ થયો હતો. મેટ્રિકમાં નાપાસ થવાથી કલકત્તામાં સામાન્ય નોકરી સ્વીકારી લીધી. એમણે નવચેતન શરૂ કર્યું. નવચેતન માસિકને ટકાવી રાખવા, સમૃદ્ધ કરવા જ સદા સર્વદા મશગુલ રહેતા. ગુજરાતી રંગભૂમિ પર રજૂ કરી શકાય તેવા પાંચેક નાટકો પણ તેમણે લખ્યા હતા. એમની બે કથાઓ પરથી ફિલ્મો પણ ઊતરી છે. 

વાયલેટ આલ્વા


             વિરલ નારી પ્રતિભા શ્રીમતિ વાયલેટ આલ્વાનો જન્મ તા. ૨૪.૦૪.૧૯૦૪ ના રોજ મુંબઇ માં થયો હતો. નાનપણથી જ તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતા વાયલે કોલેજ શિક્ષણ પુંરું કર્યાબાદ સ્વતંત્ર સેનાની જેકીમ આલ્વા સાથે લગ્ન કર્યા. ભારત છોડો આંદોલનમા6 જેલયાત્રા પણ કરી. તેઓ પ્રથમ મહિલા વકીલ અને ત્યારબાદ મેજિસ્ટ્રેટ બન્યાં. તે પછી મુંબઇ વિધાનસભામાં અને ૧૯૫૨ માં રાજ્યસભામાં નિયુક્ત પામ્યાં. ૧૯૬૨ માં તેઓ રાજ્યસભાના ઉપાધ્યક્ષ બન્યા હતાં. તેઓ ભારતીય વ્યાવસાયિક મહિલા સંઘ ના અધ્યક્ષ હતા. તેમણે મહિલા ઉત્કર્ષ માટે ભારતીયનારી નામનું સામયિક ચલું કર્યું. તેમણે પત્રકારત્વ, વકીલાત, રાજકારણ અને મહિલા ઉત્કર્ષ જેવા અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું છે.