Sunday 29 September 2013

પાવાગઢ ખોવાયું વાદળમાં



પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૮.૩૦

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૮.૪૦

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૮.૫૦ હાથિયા ખીણ 

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૮.૫૦ હાથિયા ખીણ 

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૮.૫૦ 

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૮.૫૦ શીતળ ઝરણું 

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૮.૫૦ શીતળ ઝરણું 

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૯.૦૦ અરે! વરસાદમાં છાપરું તો ઉડી ગયું.


પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૯.૨૦  ચાલો,વાદળ ભણી ......

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૯.૨૦ ઉપર ક્યાં જઇશું? 

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૯.૩૦

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૯.૫૦ લાગે છે ને સ્વર્ગનું દ્રશ્ય હોય તેવું!   

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૯.૫૦  બજાર ક્યાં ગયું?

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૦.૦૦ છાસિયું તળાવ 




પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૦.૦૦ છાસિયું તળાવ, ક્યાં છે વાદળ અને ક્યાં છે પાણી? સ્વર્ગમાં તો બધુ એક.

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૦.૩૦  જય મહાકાલી માં,

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૦.૫૦ હર   હર મહાદેવ .....

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૧.૧૦ માં ના દ્વારે............

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૧.૫૦  રોપ વે પ્રવેશ. ના, અમે તો ચાલ્યા પગપાળા....

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૨.૨૦ હવે કંઇક દેખાયું. વાદળી સફર પૂરી.....

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૨.૩૦ હવે કંઇક દેખાયું. વાદળી સફર પૂરી.....

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૨.૪૫ હાથિયા ખીણનું મનોરમ્ય દ્રશ્ય

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૨.૪૫ હાથિયા ખીણનું મનોરમ્ય દ્રશ્ય 





Monday 23 September 2013

રસાયણશાસ્ત્રી નાગાર્જુન

રસાયણશાસ્ત્રી નાગાર્જુન
             રસાયણ શાસ્ત્રના મહાન જ્ઞાતા અને સિદ્ધ પદવીથી પૂજાતા મહાત્મા નાગાર્જુન,આજથી આશરે ૨૦૦૦ વર્ષ પહેલા, વિદર્ભ દેશમાં ( આજના મધ્ય પ્રાંત નજીકના વરાડ પ્રાંતમાં ) જનમ્યા હતા. તેમના માતા-પિતાના નામ જાણવા મળ્યા નથી. પરંતુ તેઓ બહુ જ બુદ્ધિશાળી હતા. તેઓ જ્યોતિષ હતા. નાગાર્જુનની બુદ્ધિ તેજ હતી. માત્ર પાંચ વર્ષની વયે વેદ અને બીજાં શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો હતો. અભ્યાસ માટે નાગાર્જુન નાલંદા વિશ્વવિદ્યાલયમાં ગયા અને પવિત્ર ભાવે બુદ્ધ ભગવાનના તત્વજ્ઞાનનું વાંચન કરવા માંડ્યું. નાલંદા એ સમયનું ખૂબ મોટું વિદ્યાધામ હતું. અહીં તે વેદ, વેદાંગ, ધર્મશાસ્ત્રો, ઇતિહાસ, ભૂગોળ અને રસાયણ શાસ્ત્ર શીખ્યા. યોગ્ય ઉંમરે  વિદ્યાભ્યાસ પૂર્ણ કરી  ત્યાં જ અધ્યાપક તરીકે જોડાયા. ત્યારબાદ નાલંદા વિશ્વ વિદ્યાપીઠના કુલપતિનું અવસાન થતાં તે જગ્યા પર તેમની નિમણૂંક કરવામાં આવી. ત્યારબાદ તે સમયે  ચાલતા બૌદ્ધ સંઘ ના નેતા તરીકે પણ તેમની નિમણૂંક કરવામાં આવી. ત્યારબાદ તેમણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે દેશનો પ્રવાસ શરૂ કર્યો.
               માનવામાં આવે છે કે તેમણે જાતજાતનાં દ્રવ્યો મેળવીને કોઇ નવા ઔષધો બનાવવાના પ્રયોગો કર્યા હતા. અને   તેમણે તે સમયે વાઢકાપના નવા ઓજારો પણ બનાવ્યા હતા. તેમણે પ્રયોગો કરીને સોનું, તાંબુ, કલાઇ, હીરા, મોતી અને પારાની ભસ્મ બનાવવાની વિધિઓ શોધી કાઢી. જેમાં આજે આપણે મકરધ્વજ ગળીઓ કે વસંતમાલતી ગોળીઓ ના નામે આપણે ખાઇએ છીએ.

             તેમણે રસાયણશાસ્ત્રની સાથે સાથે ધર્મ, તત્વજ્ઞાન, અને સ્થાપત્ય કળાઓમાં પણ ઘણો સુધારો કર્યો છે. અને જુદા જુદા વિષયો પર સંખ્યાબંધ ગ્રંથો લખ્યા છે.  નાગાર્જુને આ રીતે પોતાનું જીવન પવિત્ર રીતે લોક પરોપકારના કાર્યોમાં જ પૂર્ણ કર્યું. નાલંદા વિશ્વ વિદ્યાલયમાં સેવા બજાવ્યા બાદ ત્યાંથી વિદાય લઇ તેઓ પોતાની જન્મભૂમિમાં જઇ વસ્યા. વરાડ પ્રાંતમાં રામટેક નામે હાલ જાણીતા ગામમાં તેમણે એક મોટો ભિક્ષુવિહાર-સાધુઓને રહેવાનો મઠ બંધાવ્યો અને પોતે પણ ત્યાં જ રહ્યા. અહીં રહીને તેમણે ભગવાન બુદ્ધના મંદિરો બંધાવ્યા અને અને સાધુઓને ધાર્મિક શિક્ષણ આપીએ દેશવિદેશ ઉપદેશ, લોકસેવા, અને લોકશિક્ષણ માટે મોકલવામાં આવતા હતા. મહાત્મા નાગાર્જુને ઇ.સ. ૨૩ માં જન્મીને ઇ.સ. ૩૨૩માં, ત્રણસો વર્ષની લાંબી જિંદગી ભોગવી સંસારમાંથી વિદાય લીધી.  

૨૩ મી સપ્ટેમ્બર

શહીદ વીર કનૈયાલાલ દત્ત

        ક્રાંતિવીર, દેશભક્ત કનૈયાલાલ દત્તનો જન્મ ઇ.. ૧૮૮૭ માં જન્માષ્ટમીના દિવસે થયો હતો. બી.. માં પ્રથમ વર્ગમાં ઉતીર્ણ થઇ તેઓ ચન્દ્રનગર ગયા. અને ત્યાં ક્રાંતિ સંગઠન ઊભું કર્યું. તેમણે યુવકોને લાઠીના દાવ, તલવાર પટ્ટા, બંદૂકની નિશાનીબાજી વગેરે ગુપ્ત તાલીમ આપી હતી. કનૈયાલાલ દેશબંધુ દાસના પ્રિય પાત્ર હતા. તેમની સત્યનિષ્ઠા અને નિર્ભયતા સૌને પોતાના કરી દેતી. તાજના સાક્ષી બનેલા નરેન્દ્રનાથને ગોળીએ દેવા બદલ કનૈયાલાલ અને સત્યેન્દ્રનાથની ધરપકડ થઇ અને કેસ ચાલી જતા તા. ૨૩-૦૯-૧૯૦૮ ના રોજ તેઓને ફાંસી આપવામાં આવી.  

૨૨ મી સપ્ટેમ્બર

સિંગમુડ ફ્રોઇડ

           મનોવિશ્લેષણની વર્તમાન પદ્ધતિના આદ્યસ્થાપક સિગમુડ ફ્રોઇડનો જન્મ ઑસ્ટેલિયાના એક યહુદી કુંટુંબમાં .. ૧૮૫૬ માં થયો હતો. શરૂઆતમાં તો એમને વનસ્પતિશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પ્રત્યે આકર્ષણ હતું. પછી એમનો રસ જ્ઞાનતંતુઓના રોગો વિશેના સંશોધન તરફ ઢળતો ગયો. તેમણે માનવ મન અને માનવ વર્તનને સમજવા માટે અચેતન મનનો ખ્યાલ સૌ પ્રથમ આપ્યો. તા. ૨૨-૦૯-૧૯૩૯ ના રોજ અવસાન પામ્યા.  

૨૧ મી સપ્ટેમ્બર

ઉછરંગરાય ઢેબર

            ઉછરંગરાય ઢેબરનો જન્મ જામનગર નજીકના ગંગાજળા ગામમાં તા.૨૧-૦૯-૧૯૦૫ ના રોજ થયો હતો. મુંબઇમાં અભ્યાસ કર્યા બાદ તેમણે જીવનની શરૂઆત ધારાશાસ્ત્રી તરીકે કરી હતી. કેન્દ્ર સરકારની સંમતિથી સૌરાષ્ટ્ર રચના થઇ અને ઉછંગરાય ઢેબર ઇ.સ. ૧૯૪૮ ના રોજ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ચૂંટાયા. તેઓ જીવનભર રાજકીય, રચનાત્મક તેમજ શૈક્ષણિક પ્રવૃતિઓમાં મોખરે રહી યોગદાન આપતા રહ્યા. તેમની કુનેહ જોઇ જવાહર લાલ નહેરુએ તેમને ઓલ ઇન્ડિયા કૉંગ્રેસના પ્રમુખપદે નીમ્યા હતા. ઇ.સ. ૧૯૭૭ માં રાજકોટમાં તેમનું અવસાન થયું. 

૨૦ મી સપ્ટેમ્બર

શહીદ વિનોદ કિનારીવાલા
            ઇ..૧૯૪૨ ની આઝાદીની ચળવળનો ગુજરાતનો પ્રથમ શહીદ એટલે વીર વિનોદ કિનારીવાલા. તેમનો જન્મ તા.૨૦-૦૯-૧૯૨૪ ના રોજ થયો હતો. પાત્ર અઢાર વર્ષનો આ યુવાન આઝાદીના માંચડે અમર થઇ ગયો. ઇન્કલાબ ઝિંદાબાદ ના ગગનભેદી નારાઓથી આ આકાશ ગુંજી ઊઠતું હતું. વિનોદને ધ્વજ છોડી દેવા અંગ્રેજ સાર્જન્ટે ધમકી આપી. પણ વિનોદે તેની સામે નજર પણ ન કરી ત્યાં જ ગોળી તેની ખ્લ્લી છાતીમાં ધસી આવી અને શહીદી વ્હોરી લીધી


૧૯ મી સપ્ટેમ્બર

બળવંતરાય મહેતા

          ભારતમાં પંચાયતી રાજની સ્થાપનાના પુરસ્કર્તા, ગુજરાતા રાજ્યના તત્કાલીન મંત્રી શ્રી બળવંતરાયનો જન્મ ઇ.સ. ૧૯૨૦ માં ભાવનગરમાં થયો હતો. અમદાવાદની ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરતા હતા. ત્યારે ગાંધીજીના સંપર્કમાં આવ્યા. શ્રી બળવંતરાયે સરદાર વલ્લભભાઇના નેતૃત્વ હેઠળ નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ લીધો પછી તો સત્યાગ્રહ આંદોલનમાં અનેક વાર જેલયાત્રા કરી. તેઓ તે જમાનાના યુવાનો માટે પ્રેરણામૂર્તિ બની ગયેલા. શિહોર મતવિસ્તારમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજેતા બની તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.તા-૧૯-૦૯-૧૯૬૫ ના રોજ શ્રી બળવંતરાય મહેતા તેમના પત્નિ સરોજબેન સાથે પાકિસ્તાને બોમ્બમારાથી તારાજ કરેલા મીઠાપુર-દ્વારકાની મુલાકાતે જતા હતા ત્યારે અધવચ્ચે દુશ્મન વિમાનીઓના પ્રાણઘાતક હુમલાને કારણે  તેઓ શહાદતને વર્યા. 

૧૮ મી સપ્ટેમ્બર

સેમ્યુઅલ જહોન્સન

              ડૉ. સેમ્યુઅલ જહોન્સનનો જન્મ તા. ૧૮-૦૯-૧૭૦૯ના રોજ વિશફિલ્ડમાં થયો હતો. જહોન્સ નાનપણથી જ રોગના ભોગ બન્યા હતા. તેમનું વિદ્યાર્થી જીવન પણ તેજસ્વી હતું. એમ.. થઇ એલ.એલ.બી ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી. તેની શ્રેષ્ઠ કવિતા ધી વેનીટી ઓફ હ્યુમન વિશિઝ પ્રકટ થઇ. તે દરમિયાન સ્કોટલેન્ડના જેમ્સબોઝવેલ સાથે તેને પરિચય થયો. તેની છેલ્લી મહાન કૃતિ લાઇવ્ઝ ઓફ ધી પોએટ્સ ૧૦ ભાગોમાં પ્રગટ થઇ ઇ.. ૧૭૪૮ માં તેમનું અવસાન થયું.     

Tuesday 17 September 2013

૧૭ મી સપ્ટેમ્બર


સર ફ્રાન્સિસ ચિયેસ્ટ
             સાગરખેડુ ફ્રાન્સિસનો જન્મ તા. ૧૭-૦૯-૧૯૦૧ ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો. ઉચ્ચ અભ્યાસ કરી માટીમાંથી સોનુ ગાળવાનું અને સ્થાવર મિલકતોનો ધંધો કરવાનું કામ કરી પુષ્કળ આવક રળતાં થઇ ગયા. ઉડ્ડ્યનની તાલીમ લઇ એક હવાઇ જહાજ ખરીદ્યું. ઇંગ્લેન્ડથી ઓસ્ટ્રેલિયાના ઉડ્ડ્યનો કર્યા. બે હજાર કિલોમીટરના તોફાની સાગરને પાર કરવાની સ્પર્ધામાં પ્રથમ આવ્યા. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનો આત્મ નિર્ભર કર્યો.પ્રવાસ દરમિયાન ઇંગ્લેન્ડની રાણી એલોઝાબેથે એમને નાઇટ હૂડનો ખિતાબ આપ્યો. ઇ.સ. ૧૯૭૨ માં એટલાન્ટિક નૌકાસ્પર્ધા દરમિયાન જ તબિયત લથડતાં તેમનું અવસાન થયું.

બાપાલાલ વૈધ

               શ્રી બાપાલાલ વૈધનો જન્મ પંચમહાલ જિલ્લાના સણસોલી નામના ગામમાં તા. ૧૭-૦૯-૧૮૯૬ ના રોજ   થયો હતો. તેમણે સુરતમાં આવેલી શ્રી ઓચ્છવલાલ  નાઝ આયુર્વેદિક મહાવિદ્યાલય માં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. તેઓ આયુર્વેદ હોસ્પિટલના અધ્યક્ષ તરીકે નિમાયા, દર્દીઓને વ્યાજબી ભાવે દવાઓ મળી રહે તે માટે અભયનંદની પણ સ્થાપના કરી. 

૧૬ મી સપ્ટેમ્બર

એમ.એસ.સુબ્બોલક્ષ્મી
           આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગાયિકા સુબ્બોલક્ષ્મીનો જન્મ તા. ૧૬-૦૯-૧૯૧૬ ના રોજ મદુરાઇમાં થયો હતો. સંગીતનો વારસોએમને બાલ્યાવસ્થાથી જ મળ્યો હતો. તેમણે ફિલ્મ લાઇન માં પ્રવેશ કર્યો અને સેવાસદનમ્ક’, શંકુથલાઇ’, પ્રેમાઇલ અને એન્દન ઇડાથુ થોલમજેવી ફિલ્મો તેમના ગીત- સંગીતના કારણે યાદગાર બની ગઇ. મીરા ફિલ્મના પ્રચારથી સુબ્બોલક્ષ્મી ઉત્તમ ગાયિકા તરીકે સહુના હ્રદયમાં પ્રસ્થાપિત થયા હતા. ભારત સરકારે તેમને પદ્મભૂષણ અને રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કરી વિભૂષિત કર્યા હતા.તા. ૧૧-૧૨-૨૦૦૪ નારોજ તેમનું અવસાન થયું.


કૃષ્ણલાલ શ્રીધરાણી
            ગુજરાતી સાહિત્યકાર શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં તા. ૧૬-૦૯-૧૯૧૧ ના રોજ થયો હતો. તેમણે ભાવનગરની દક્ષિણામૂર્તિમાં અને અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું. તે પછી તેઓ રવિ ન્દ્રનાથ ટાગોર સ્થાપિત શાંતિ-નિકેતનમાં પણ અભ્યાસ કરવા ગયા હતા. એમણે કવિતા, નાટક, વાર્તા એમ વિવિધ સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન કર્યું છે.

                   કોડિયાં’, પુનરપિ એમના કાવ્યસંગ્રહો છે. વડલો’, પિયાગોરી અને મોરનાં ઇંડાં એમના નાટ્યસંગ્રહો છે. ઝબકજ્યોત નામનું એમનું નાટક ભારે જાણીતું છે. 

Monday 16 September 2013

त्रिलोचन शास्त्री

Shree trilochan shaastree
त्रिलोचन शास्त्री
         कविवर त्रिलोचन का जन्म भाद्र शुक्ल तृतीया ,सोमवार वि.स. 1974, तदनुसार 20 अगस्त,1917 को कटघरा चिरानी पट्टी, जिला सुल्तानपुर(उत्तरप्रदेश) में हुआ था। उनका वास्तविक नाम वासुदेवसिंह था। इनके पिता का नाम श्री जगरदेवसिंह तथा माता का नाम मनबरता देवी था। इनकी पत्निका नाम जयमूर्ति देवी था।
त्रिलोचन की शिक्षा दोस्तपुर गाँव मे प्रारंभ हुइँ। वाराणसी से उन्होने ‘साहित्यरत्न’ डिग्री हासिल की। इन्होंने एम.ए. बनारस हिन्दू विश्वविद्यालय से अंग्रेजी साहित्य में किया था।
         उन्होने अपने बहुत से सर्जनात्मक कार्यो के द्रारा हिन्दी की साहित्यिक पत्रकारिका और काव्य को नयी दिशा सदी। उन्होने बनारस से प्रकट होती मासिक पत्रिका ‘कहानी’ और प्रेमचन्दजी की प्रस्थापित ‘हंस’ पत्रिका, मासिक पत्र ‘चियत्रलेखा’, और ‘बृहद हिन्दीए कोश’  में संपादन कार्य किया। इन्होंने हिन्दी साहित्य संमेलन,प्रयाग द्वारा निर्गत या प्रकाशित ‘हिन्दी-अंग्रेजी मानक-कोश’ का संपादन हिन्दी शब्द-सागर का संपादन कार्य किया।
कृतित्व
      1. ‘धरती’ – 1945
2. ‘गुलाब और बुलबुल’ –1956
3. ‘दिगन्त’  -1957   
4. ‘ताप के तापे हुए दिन’  -1980
5. ‘शब्द’  -1980
6. ‘उस जनपद का कवि हूँ’ – 1981
7. ‘अरधान’ -1984
8. ‘अमोला’ – 1986

9. ‘चैती’ – 1987   

कविवर सर्वेश्वर दयाल सक्सेना


कविवर सर्वेश्वर दयाल सक्सेना
          कविवर सर्वेश्वर दयाल सक्सेना छायोवादोत्तर नयी दूसरी पीढी के महत्वपूर्ण कवि है। श्री सर्वेश्वर दतयाल का जन्म 15 सितम्बर 1927 में उत्तरप्रदेश की बस्ती में हुआ था। उनकी शिक्षा एग्लो संस्कृत हाइस्कूल बस्ती; क्वीन्स  कालेज,वाराणसी एवं प्रयाग विश्वविधालय में हुइ थी।
          आजीविका के लिए अध्यापक,क्लर्क,आकाशवाणी के सहायक प्रोडयुसर,’दिनमान’ के उपसंपादक और ‘पराग’ के सम्पादक भी रहे थे। सक्सेनाजी ने साहित्यिक जीवन का आरंभ कविता से किया है। वे ‘प्रतीक’ और अन्य पत्र-पत्रिकाओं में लिखते रहे। इसके अतिरिक्त कला,साहित्य,संस्कृति और राजनितिक गतिविधियों में सक्रिय हिस्सेदारी लेते रहे। अनेक भाषाओं में उनकी रचनाओं का  अनुवाद भी होता रहा।‘तीसरा सप्तक में संकलित हो एवं अज्ञेय जैसे समर्थ साहित्यकार का सहयोग मिलने से उन्हे जल्दी प्रसिध्धि प्राप्त हुइँ। उन्होने कविता के अतिरिक्त उपन्यास,कहानियाँ, नाटक, यात्रावृत एवं बाल-काव्य भी लिखे है। 1972 में  ‘सोवियेत लेखक संघ’ के निमंत्रण पर पुश्किन काव्य समारोह में सम्मिलित भी हुए थे। आपका आकस्मिक निधन दिल का दौरा पडने से दिल्ली में 24 दिसम्बर, 1983 को हुआ था।
कृतित्व
(क) काव्य- कृतियाँ


1.   काढ की घंटियाँ
2.   बाँस का फूल
3.   एक सूनी नाव
4.   कुआनो नदी
5.   गर्म हवाएँ
6.  कविताएँ-1
7.  कविताएँ-2
8.  जंगल का दर्द
9.  खूटिंयों पर टँगे लोग
10. कोइ मेरे साथ चले


(ख) उपन्यास
      1.उडे हुए रंग
(ग) कहानी-संग्रह
      1.अंधारे पर अंधारा

      2. कुत्तो का मसीहा 

Sunday 15 September 2013

૧૫ મી સપ્ટેમ્બર

મોક્ષગુડમ્ વિશ્વેશ્વરૈયા

              પ્રતિભાવાન ઇજનેર મોક્ષગુડમ્ વિશ્વેશ્વરૈયાનો જન્મ તા. ૧૫-૦૯-૧૮૬૧ ના રોજ મૈસૂરના એક ગામડામાં થયો હતો. એલ..સી. ની પરીક્ષા પ્રથમ નંબરે ઉતીર્ણ કરી, મુંબઇ સરકારના બાંધકામ ખાતામાં તેમને ઇજનેરની જગ્યા મળી. નિવૃત થયા પછી નિઝામ સરકારે તેમને તરત જ ખાસ સલાહકાર તરીકે રાખી લીધા. તેમણે આ પદ પર રહી કૃષ્ણા નદી પર વિખ્યાત કૃષ્ણરાજસાગર બંધ બાંધ્યો. એમણે પાણી અને ગટર યોજના પાર પાડવા માટે છેક એડન સરકારનું નિમંત્રણ મળ્યું હતું. રાજ્યના દીવાનપદે તેઓ પહોંચ્યા હતા. મુંબઇ નહેર સમિતીના ચેરમેન પણ થયા.તેમને મળેલ માન-સન્માનમાં સી.આઇ.. તથા ભારત સરકારે અર્પણ કરેલ ભારતરત્ન ની ઉપાધિનો સમાવેશ થાય છે. બેંગલોરમાં ઇ.સ. ૧૯૬૨ માં તેમનો સ્વર્ગવાસ થયો.