Showing posts with label સુવિચાર. Show all posts
Showing posts with label સુવિચાર. Show all posts

Thursday, 25 July 2013

સુવિચાર-૫

v  જે કંઇ નથી કરતો તે જ માત્ર આળસુ નથી પરંતુ આળસુ તે પણ છે કે જે પોતાના કામ કરતા વધારે સારું કામ મેળવી શકે છે છતાં કરતો નથી. આળસમાં જીવન વીતાવવું તે અત્મહત્યા સમાન છે.
v  પુસ્તક એ એક એવો શિક્ષક છે જે સોટી માર્યા વગર, કડવા વચન કે ક્રોધ કર્યા વગર, દાન દક્ષિણા લીધા વિના જ્ઞાન આપે છે. 
v  શંકાઓ કરવી અને સવાલો પૂછવા એ જ જ્ઞાન મેળવવાનો ઉતમ ઉપાય છે.
v  કોઇનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોઇ છે.
v  વિશ્વાસપાત્ર મિત્ર એક દિવ્ય ઔષધી છે.
v  માણસ મિત્રો મેળવવામાં ધીમો અને દુશ્મનો પસંદ કરવામાં ઉતાવળો હોય છે. જીવનમાં ચાર જાતની વ્યક્તિઓ મળે છે. ઓળખતી હોય, સબંધી હોય, સ્વજન હોય અને મિત્ર હોય. આ સૌને ઓળખી લેવા. આ સબંધોની ગેરસમજ માણસને વધુ દુ:ખી કરે છે. સારા મિત્રો જીવનમાં મળે એના કરતા આપણે જ કોઇના સારા મિત્ર બનીએ તો કેવુ ?  
v  જે જોઇએ છે તે મળતું નથી. જે જોઇતું નથી તે સ્વીકારવું પડે છે.
v  ઇશ્વર જેવો કોઇ મોટો કલાકાર નથી. એ માનવીને સર્જે છે. પણ માનવીની નીચે પોતાનુ નામ લખતો નથી, અને લખે છે ત્યારે માતાનું નામ લખે છે. પણ માતાયે ઇશ્વરની મહાનતાનું પ્રતિક છે. એ બાળકને એના પિતાનું નામ આપે છે.
v  વિદ્યારૂપી કારમાં વાંચનરૂપી પેટ્રોલ ન પૂરવામાં આવતા ઊંઘરૂપી બ્રેક લાગવાથી નાપાસરૂપી એક્સિડન્ટ થાય છે.
v  ધન મેળવજો નીતિથી, ભોગવજો રીતિથી અને વાપરજો પ્રીતિથી.
v  વિચાર્યા વિનાં વાંચવું એ પચાવ્યા વિના ખાધા જેવું છે.
v  મહેનત વગર નસીબ ક્યારેય ઊઘડતું નથી.

v  જીવનમાં દરેક ક્ષેત્રમાં સુખ દુ:ખ તો આવ્યા જ કરે છે. સુખમાં ફુલાઇ જવુ નહિ અને દુ:ખમાં હારી જવું જોઇએ નહિ. દુ:ખ વિનાની જિંદગી જિંદગી નથી હોતી જીવનમાં સુખ અને દુ:ખ સિક્કાની બે બાજુ છે. સુખ આવે તો દુ:ખ આવે છે, અને દુ:ખ જાય તો સુખ આવે છે એવી આશા અમર છે.    

સુવિચાર-૪

v  બીજા શું કરે છે તેની સામુ ન જોતા મારી શી ફરજ છે તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે.
v  કાચ, મન અને મોતી તૂટયા પછી સંધાતા નથી.
v  નાની બાબતોનો ખ્યાલ રાખો. નાની એવી તિરાડને લીધે મોટા બંધનો તૂટી જાય છે.
v  પડોશીની સો ભૂલ સુધારવા કરતા પોતાની એક ભૂલ સુધારવી એ સર્વશ્રેષ્ઠ છે.
v  કોઇને મિત્ર ન બનવો તો કંઇ જ નહિ, પણ દુશ્મન તો ન જ બનાવો.
v  પારકા માટે પગથિયું ન બની શકો તો કાંઇ જ નહિ ખાડો તો ન જ બનો.
v  સાપને દાંતમાં, માખીને માથામાં અને વીછીં ને પૂછડામાં ઝેર હોય છે પરંતુ દુર્જન લોકોને અંગે અંગમાં ઝેર હોય છે.
v  તમે બીજા તરફ કાદવ ઊછાળશો તો તે કાદવ બીજાને ગંદા કરશે કે ન કરે, પણ તમારા હાથ તો ગંદા કરશે જ.
v  સમયનો સદઉપયોગ કરવા માટે આપણે દરરોજ એવી  રીતે જીવવું જોઇએ કે જાણે એ દરેક દિવસ આપણા જીવનનો આખરી દિવસ હોય.
v  સાદગી એ જીવનની એક એવી વિદ્યા છે જે મનુષ્યની કીર્તિ વધારે છે.  
v  પથ્થર જેવા ન બનો, નહિ તો ડૂબી જશો. પીંછા જેવા બનો તો તુફાનામાં પણ તરતા રહેશો.
v  ઇમારત ચણાવો તો જો જો કે જમીન કેવી છે. મિત્રતા બાંધો તો જો જો કે સ્વભાવ કેવો છે.
v  બુદ્ધિ છે બાપા જેવી એને કમાઉ દીકરો જ ગમે છે. જ્યારે હ્યદય છે માં જેવું એને કમજોર દીકરોય ગમે છે.
v  સમર્પણ છે લાકડા જેવું, એને કોઇ ડૂબાડી શકતું નથી, જ્યારે અહંકાર છે પથ્થર જેવો એને કોઇ તારી શકતુ નથી.
v  થોડું વાંચવુ અને વધું વિચારવુ, થોડું બોલવું અને વધુ સાંભળવુ એ જ બુદ્ધિમાન થવાનો ઉપાય છે.
v  જે તમારી પાસે છે તે આપો અને જે તમારી પાસે નથી તે મેળવવાનો પ્રયત્ન કરો આજ જીવનની સુંદર પ્રક્રિયા છે.
v  અવસરને અનુરૂપ વાત કરવી, સામર્થ્યને અનુકૂળ સાહસ કરવું અને શક્તિને  અનુરૂપ  ક્રોધ કરવો.
v  જીવન એક મુસાફરી છે એ મુસાફરીનો ક્યારે અંત આવી જાય એની ખબર આપણને હોતી નથી. માટે એ મુસાફરીને સમજી વિચારીને સફળ બનાવવા પ્રયાસ કરવો જોઇએ.
v  બીજા માણસના હ્રદય જીતી લેનાર માણસ ભાગ્યશાળી ગણાય છે. પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેના જેવો બીજો કોઇ ભાગ્યશાળી નથી.   
v  બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે, એથી વિશેષ એ ઊભી કરે છે.
v  દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે આપણે જેવા બહારથી દેખાવા ઇચ્છીએ છીએ તેવા અંદરથી પણ બનીએ.

v  ચાર વસ્તુઓથી મનુષ્યની ઇચ્છા પૂર્ણ થઇ જાય છે. ઉતમ માણસોના સંગમાં રહેવાથી, સજ્જનોની સલાહ લેવાથી, દૂષ્ટ વ્યક્તિઓથી દૂર રહેવાથી અને ફકીરો સાથે મિત્રભાવ રાખવાથી.  

સુવિચાર-૩

સુવિચાર
v  નદી કે સાગરનું પાણી બંને કાંઠામાં મર્યાદામાં ન રહે તો વિનાશ સર્જે છે.
v  કોઇ પણ વસ્તુ સારી અથવા ખરાબ નથી પણ તમારા વિચારો તે રીતે તમને બનાવે છે.
v  કોઇની પ્રગતિનું સોપાન ન બની શકો તો કંઇ નહિ પણ કોઇની અધોગતિનો ખાડો તો ન જ બનો.
v  જ્ઞાન મેળવવું સહેલું છે પણ પચાવવું – ટકાવવું મુશ્કેલ છે.
v  જીવન શ્રેષ્ઠ બનાવવું હોઇ તો ઓછું બોલો, ઓછું ખરચો અને ઓછું ખાઓ.
v  હોઠ બહાર નીકળેલો શબ્દ કેટલા પણ ઘોડાની માદદથી પાછો વાળી શકાતો નથી, એટલે જ વિચારપૂર્વક બોલવું જોઇએ.
v  ધ્યેય વિનાનું જીવન આંકડાં વગરના મીંડા જેવું છે.
v  જે માણસ ફરજ નથી સમજતો ને અધિકાર જ સમજે છે તે પ્રાણી સમાન છે.
v  સામા માણસને ઉતારી પાડતા પહેલાં તમને કોઇ ઉતારી પાડે તો કેવું થાય તે વિચારી જોવું જરૂરી છે.
v  માન માગશો નહિ, માન આપજો. પ્રેમ માગશો નહિ, પ્રેમ આપજો.
v  મનુષ્ય જે કાંઇ ખાય છે તેનાથી નહિ પણ જેટલું પચાવી શકે છે, તેનાથી બળવાન બને છે.
v  આપણે કેટલું જીવીએ છીએ તેનું મહત્વ નથી પણ કેવી રીતે જીવીએ છીએ તેનું મહત્વ છે.
v  ભૂલ થઇ જાય તેમાં પાપ નથી પરંતુ કરેલી ભૂલ છૂપાવવામાં ભયંકર પાપ છે.
v  સત્ય અને માધુર્ય ભાષા બોલો. સત્ય હોવા છતાં બીજાના દિલને  દુ:ખાવનારી બાબત હોય તો મૌન રહો.
v  મારી ભૂલ, ટીકા અથવા દોષ કોઇ નહિ કાઢે તેવા સમયની રાહ જોનાર માણસ કંઇ પણ કરી શકશે નહિ.
v  વેરનો બદલો વેરથી નહી લેતા પ્રેમથી લેશો તો જગતમાં તમારો એક વેરી ઓછો કર્યાનો લાભ મળશે.
v  ફુલ પાથરનારને સુવાસ મળે છે. અને શૂળ પાથરનારને શૂળના ડંખ.
v  નિડર બનીને આગળ વધવાવાળા ને જીવનમાં કદી નિષ્ફળતા મળતી નથી.
v  જે કોઇને જિંદગી આપી શકતો નથી એને કોઇનો જીવ લેવાનો પણ અધિકાર નથી.
v  કોઇએ તમારા માટે શું કર્યુ તેના કરતાં તમોએ કોઇના માટે શું કર્યુ તે પહેલા વિચારો.
v  શત્રુ કરતા દોસ્તને ક્ષમા આપવાનું કામ વધુ કપરું છે.
v  ક્રોધ એક પ્રકારનું તોફાન છે. તે જ્યારે આવે છે ત્યારે વિવેકને નષ્ટ કરે છે.
v  અનુભવ એ દરેક માણસે પોતની ભૂલોને આપેલું નામ છે.
v  ભૂતકાળ ડહાપણ માટે છે, વર્તમાન કાર્ય માટે અને આનંદ માટે ભવિષ્યકાળ છે.
v  ધીરજ કડવી હોય છે, પણ ફળ મીઠા હોય છે.
v  વહી જતાં સમયને ઉપયોગ કરો નહીંતર પસ્તાશો.
v  ક્ષમા આપવી ઉતમ છે પણ એને ભૂલી જવું એ એના કરતાં પણ વધું ઉતમ છે.


સુવિચાર-૨

સુવિચાર
v  વિશ્વાસ કરવો એક ગુણ છે. અવિશ્વાસ દુર્બળતાની જનેતા છે.
                                                         - ગાંધીજી
v  જે બીજાઓ માટે જીવે છે તેને કદી નિરાશા નથી મળતી.
                                                         -ટોલ્સટોય
v  પ્રેમ આંખોથી નહિ, હદયથી દેખાય છે એટલા માટે જ પ્રેમ આંધળો છે એમ કહ્યું છે.
                                                                  - શેક્સપિયર
v  પ્રેમ બલિદાન શીખવે છે, હિસાબ નહી.                                  
                                         – અજ્ઞાત
v  ચારિત્ર્ય જ મનુષ્યની પૂંજી છે.                                         
                         ‌‌- એમર્સન
v  પ્રેમ ભગવાનનું શ્રેષ્ઠ વરદાન છે.                                   
                               – વોલ્ટેર
v  સમયની કસોટી પર જ મનુષ્યના આત્માની પરીક્ષા થાય છે.             
                                                    – થામસ પેટ
v  સમય જ સૌથી યોગ્ય શિક્ષક છે.                                        
                         – પૈરીકલીજ
v  તમારે જે કાંઇ જોઇએ તે સ્મિત વેરીને પ્રાપ્ત કરો, નહિં કે તલવારના જોરે.
                                                                   – શેક્સપિયર
v  મૃત્યુ ભલે અપનાવવું પડે પણ અન્યાય સામે ક્યારેય ન ઝૂકો.        
                                                       – ભગતસિંહ
v  હિંમતને હથિયારની સહેજે જરૂર નથી હોતી.           
                                       – ટોમસકુલર
v  જે પોતાના દેશને પ્રેમ નથી કરી શકતો, એ બીજા કોઇ સાથે પ્રેમ નથી કરી શકતો.                               
                                                                              -વિનોબાભાવે
v  મહાન વ્યક્તિ ન કોઇનું અપમાન કરે છે અને ન તેને સહન કરે છે.


                                                                                  - હોમ

સુવિચાર-૧

સુવિચાર
v  કોઇ પણ કામ કરતાં તમારે નીચું જોવું પડે તેવું એક પણ કામ કરશો નહિ.
                                                                 - જેમ્સ એલન
v  આત્મવિશ્વાસ, આત્મજ્ઞાન અને આત્મસંયમ આ ત્રણ વસ્તુઓ જ જીવનને પરમ શક્તિ સંપન્ન બનાવે   છે.
                                                                               -ટેનિસન
v  માત્ર આંખ અને કાનને સંતોષે તે જ કલા નથી, જે આત્માને ઉન્નત કરે તે વાસ્તવિક કલા છે.                                          
                                                                    - ગાંધીજી
v  બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે.
                                                                     - રવિન્દ્રનાથ ટાગોર
v  પ્રેમ સ્વર્ગનો માર્ગ છે. માનવતાનું બીજું નામ પ્રેમ છે. પ્રાણીમાત્ર સાથે પ્રેમ કરવામાં જ સાચી માનવતા છે                                                                                                   
                                          -  ભગવાન બુદ્ધ
v  પ્રાર્થના આત્માની પરમ આવશ્યકતા છે. પ્રત્યેકવાર કરેલું હરિ- સ્મરણ પરમેશ્વર નજીક લઇ જાય છે.       
                                                                                 -  ગાંધીજી
v  ઇશ્વર એક વાર જ ક્ષણ આપે છે અને બીજી ક્ષણ આપતા પૂર્વે તે ક્ષણ આંચકી લે છે.
                                                                            - સ્વેટ માર્ડન
v  જગતમાં તમારો કોઇ મિત્ર નથી કે શત્રુ નથી. તમારું વર્તન જ મિત્ર કે શત્રુ બનાવવા જવાબદાર છે.
                                                                        - ચાણક્ય
v  જેનામાં વિદ્યા નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ નથી, ધર્મ નથી તે પશુ જેવો માનવી પૃથ્વી પર ભારરૂપ છે.   
                                                                                 – ભર્તુહરી
v  કોઇ સ્ત્રી માટે કોઇ ગુપ્ત વાત રાખવી કઠિન નથી. કઠિન તો એ છે ગુપ્ત રાખવું કે તેને કોઇ ગુપ્ત વાતની ખબર છે.
                                                                            –  આશારાની
v  દ્ધેષને પ્રેમથી જીતો, બુરાઇને ભલાઇથી  જીતો, લોભને દાનથી જીતો, અને અસત્યને સત્યથી જીતો.
                                                                            - ભગવાન બુદ્ધ
v  માણસ એ જ સત્ય છે. માણસે પોતાની બહાર કશું જ શોધવાનું નથી. આરંભ અને અંત તેના પોતાનામાં જ છે.   
                                                                          – હેનરી મિલર
v  જેનામાં નિર્ણય લેવાની શક્તિ નથી એ માણસ દુનિયામાં કોઇ કામનો નથી.
                                                                     - ઇમરસન
v  સર્વોતમ મનુષ્ય તેમના દોષ વડે તેમની ભૂલો વડે જ ઘડાય છે.
                                                                 - શેક્સપિયર

Saturday, 29 June 2013

સુવચનો

સુવચનો
Ø  સફળતા ન મળે તો વાંધો નહિ, સફળતાની વાત કરો, પણ નિષ્ફળતાનો કદી વિચાર ન કરો.  
Ø  તમારી ભૂલો તમને કેમ ઉપયોગી થાય તે વિચારો.
Ø  મહેનત પાછળ નસીબ દોડતું આવે છે.
Ø  પહેલાં નિર્ણય કરો, પછી જ કામની શરૂઆત કરો.
Ø  સફળતા કે નિષ્ફળતા તમારા મનમાં જ રહેલી છે.
Ø  ખોટું કરવા કરતાં કંઇ ન કરવું વધારે સારું.
Ø  ધીમે બોલો, ધીરે બોલો અને થોડું બોલો.
Ø  જે કામ તમે જાતે કરી શકો, તે બીજાને સોપો નહિ.
Ø  યાદ રાખો, તમારા સિવાય કોઇ તમને દીન બનાવી શકે નહિ.
Ø  પારકાની કોઇ વસ્તુની ઇચ્છા ન રાખવી.
Ø  તમારો નિર્ણય લાગણીથી ન લો, પણ તર્કના તરાપા ઉપર બેસીને લો.
Ø  ઘણીવાર ઉતાવળને લીધે જ મોડું થાય છે.
Ø  સદકાર્ય કદી એળે જતું નથી.
Ø  મૂર્ખા પોતાની ભૂલોથી શીખે છે, ડાહ્યાઓ બીજાની.
Ø  જે ઝાડ છાંયો આપતું હોય તેને કાપશો નહિ.
Ø  અજ્ઞાનીને બે વખત સમજાવવું પડે છે, પણ અભિમાનીને ત્રણ વખત.
Ø  નબળા માણસો બહુ નીચા નમીને નમન કરશે.
Ø   સાંભળીને શીખો, પણ સમજો મનન કરીને.
Ø  સુખ પૈસામાં નહીં, હ્દયમાં શોધવું જોઇએ.
Ø  હેત વિનાનું જીવન સઢ વિનાના વહાણ જેવુ છે.
Ø  માત્ર એક ભૂલ, આખો ભવ બગાડી શકે છે.
Ø  પહેલાં આપણે ખરાબ ટેવ પાડીએ છીએ, પછી ખરાબ ટેવ આપણને પાડે છે.
Ø  જે જ્ઞાન આચરણમાં ઊતર્યુ નથી તે ભારરૂપ છે.
Ø  જ્ઞાન સંઘરશો તો ઘટશે, વહેચશો તો વધશે.
Ø  દયા સુખોની લતા છે.
Ø  દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે.
Ø  કોઇ માણસને ખુશ કરવો હોઇ તો તેની વાતો નિરાંતે સાંભળો.
Ø  દરેક અંત, નવાની શરૂઆત છે.
Ø  ટીકા કરતાં વખાણ કરો,સારા શબ્દોની કિંમત કઇ નથી.
Ø  ચિંતાએ આજ સુધી કોઇ પણ કાર્યને પૂર્ણ કર્યુ નથી.
Ø  ચિંતા દરેક પ્રકારની સુંદરતા અને સ્વાસ્થ્યનો શત્રુ છે.
Ø  જીવન એક ફુલ છે, પ્રેમ એની સૌરભ છે.
Ø  મુશ્કેલીનો સામનો કરવો તેનુ નામ જ જિંદગી.
Ø  જ્ઞાનનો સંદેશ આપવો એ જ દક્ષિણા છે.
Ø  જિંદગી એ ફુલોની સેજ નથી પણ રણમેદાન છે.
Ø  ચિંતા જીવનનો શત્રુ છે.
Ø  ચિંતા સિવાય બીજું કોઇ શરીરને શોષનારું નથી.
Ø  ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે.
Ø  આનંદ એ દૈવી ઔષધ છે. દરેકે તેમાં સ્નાન કરવુ જોઇએ.
Ø  પ્રસન્નતા જ સ્વાસ્થ્ય છે. અને અપ્રસન્નતા જ રોગ છે.
Ø  ગરીબી ખાનદાનીને દબાવી શકતી નથી.
Ø  ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની કસોટી છે.
Ø  ઇશ્વર ગરીબને ગરીબ રાખીને એ તપાસે છે કે તેમાં હિંમત છે કે નહિ.
Ø  બદલો લેવા કરતા ક્ષમા હંમેશા સારી છે.    
Ø  ખુશી આપવામાં છે, લેવા તથા માંગવામાં નથી.
Ø  પ્રસન્નતા બધા જ સદગુણોની માતા છે.
Ø  પ્રસન્ન ચિતવાળાની બુદ્ધી જલદી સ્થિર થાય છે.
Ø  યશ ત્યાગથી પ્રાપ્ત થાય છે, દગાથી નહિ.
Ø  હજારો વર્ષનો યશ એક દિવસના ચારિત્ર્ય પર નિર્ભર છે.
Ø  કીર્તિ કદી શબ્દોનું શરણ લેતી નથી.
Ø  ક્રોધ એ નિર્બળતાની નિશાની છે.
Ø  જ્યારે ક્રોધ આવે ત્યારે તેના પરિણામનો વિચાર કરો.
Ø  ક્ષમા વીરોનું આભૂષણ છે.