Showing posts with label ભારતના વૈજ્ઞાનિકો. Show all posts
Showing posts with label ભારતના વૈજ્ઞાનિકો. Show all posts

Sunday, 8 July 2018

અફ્રોઝ અહમદ



           
             અફ્રોઝ અહમદ એક  ભારતીય પર્યાવણ વૈજ્ઞાનિક અને વિકાસ સંચાલક છે. તેઓ ભારતના પર્યાવરણ અને વિકાસને લગતા વકીલ છે.
              તેમનો જન્મ બલરામપુર ઉત્તરપ્રદેશમાં તા. ૧૪ મી નવેમ્બર ૧૯૫૮ ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ઉસ્માન ગની અને મતાનું નામ ઝહિદા બેગમ ખાન છે. અફ્રોઝ અહમદે કવિ અને રાજનિતી સાથે સંકળાયેલ બેકલ ઉત્સાહીની દીકરી બેગમ સાદીયા યાસ્મીન સાથે લગ્ન કર્યા હતા. જેઓ પણ એક કવિ અને સામાજિક કાર્યકર છે.
               તેમણે માસ્ટર ઓફ સાયન્સ નો અભ્યાસ  એમ.એલ.કે. કોલેજ / અવધ યુનિવર્સિટી માં પોતાના વતન  બલરામપુર (ઉત્તરપ્રદેશ) ખાતે ૧૯૮૧ માં કર્યો હતો.  તેમજ ૧૯૮૬ માં તેમણે ત્યાંથી જ  ડોક્ટર ઓફ ફિલોસોફી ની પદવી પણ મેળવી. ઉપરાંત તેમણે ૧૯૮૮ માં અનુસ્નાતક પદવી  યુનાઈટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ટ્રેનિંગ / પોલિસી મેકર્સ ડિપ્લોમા  ટેકનોલોજી યુનિવર્સિટી  જર્મની, ઓસ્ટ્રેલિયા અને સોવિયત સમાજવાદી રીપબ્લિકના સંઘ ખાતેથી મેળવી.
               ડિસેમ્બર ૨૦૧૪ માં  ભારત સરકારમાં તેમને  નર્મદા નિયંત્રણ નિગમ અને જળ સંશાધન મંત્રાલય, નદી વિકાસ અને ગંગા શુદ્ધિકરણ મંત્રાલયમાં પર્યાવરણ અને પુન:નિવાસ માટેના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
               અહેમદ ૧૯૮૯ થી ૧૯૯૧ સુધીભારત સરકારની જી.બી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન એન્વાયરમેન્ટલ એન્ડ ડેવલપમેન્ટ  સાથે સંકળાયેલા હતા. તેઓ નર્મદા નિયંત્રણ બોર્ડ અને નર્મદા જળ સંપત્તિ ના ડિરેક્ટર પદે ઇન્દોર ખાતે નિયુક્ત થયેલા છે.
               તેમણે રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા પ્રકાશિત ત્રણ લેખ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત 100 રિસર્ચ પેપર અહેવાલો અને નીતિ આયોજન, પર્યાવરણીય વ્યવસ્થાપન, ટકાઉ વિકાસ અને પુનર્વસન પરના લેખોનું મહત્વનું યોગદાન આપ્યું છે.
                નર્મદા વેલી અને પુનર્વસવાટના કાર્યક્રમોના સંરક્ષણમાં પ્રસિદ્ધ પર્યાવરણીય વૈજ્ઞાનિક અને વિકાસ સંચાલક ડૉ. આફ્રોઝ અહેમદને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય આદિજાતિ યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ. અહેમદે યુવાન વૈજ્ઞાનિકો અને સંશોધકોને ઘણી રાજ્યોમાં નર્મદા નદી સાથે પર્યાવરણીય, સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દાઓના આંતરશાખાકીય અભ્યાસ માટે આગળ આવવા વિનંતી કરી છે. ડૉ. અહેમદે નર્મદા બેસિનના સંરક્ષણ પર્યાવરણ અને સંસ્કૃતિ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રોગ્રામ્સના માર્ગદર્શન માટે ફેકલ્ટી સભ્યોને પ્રોત્સાહન આપ્યું. તેઓ કહેતા કે નર્મદા વિશ્વના સૌથી ધનિક કુદરતી સ્રોતો પૈકી એક છે. પવિત્ર નર્મદા સાથે સંકળાયેલ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રકૃતિમાં અલગ છે. પ્રકૃતિ સંરક્ષણ માટે શિક્ષણવિંદો અને સંશોધકો સંરક્ષકો બની શકે છે. તેમણે નર્મદાના સમગ્ર વિસ્તારના દસ્તાવેજીકરણ માટે આગળ આવવું જોઇએ. ડૉ. અહેમદે બોડી પત્રકારો દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક કમ્યૂનિકેશન સામગ્રી તૈયાર કરવા માટે ઇગ્ન્યુ એનટીયુમાં ઇકો મિડિયા સેન્ટરની સ્થાપના કરવાનું સૂચન કર્યું હતું.
       મુલાકાતી વૈજ્ઞાનિક તરીકે ૧૯૯૦ માં પર્યાવરણીય સંચાલન ક્ષેત્રે જર્મનીમાં પ્રોફેસર યુનાઇટેડ નેશન્સ, ઑસ્ટ્રિયન એકેડેમી ઓફ સાયન્સિસ એન્ડ હ્યુમન ઇકોલોજી કમિશન,અને ૧૯૯૮માં ગેસ્ટ સાયન્ટિસ્ટ રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ ખતે સેવા આપી છે.
અફ્રોઝ અહમદને તેમની શ્રેષ્ઠ સેવા બદલ  ભારત સરકાર દ્વારા ૯ જુલાઇ ૨૦૧૦ ના રોજ  હૈદરાબાદ ખાતે તકેદારી અભ્યાસ વર્તુળના સાતમા વર્ષગાંઠ સભા દરમિયાન ભારત સરકારના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (સીવીસી) દ્વારા વર્ષ ૨૦૧૦ માટેના રાષ્ટ્રીય તકેદારી શ્રેષ્ઠતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.  ૧૯૯૭ માં જોર્ડાના માનનીય રાણી નૂર દ્વારા યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી લીડરશિપ ઓનર તરીકે પણ નવાજવામાં આવ્યા.



Friday, 21 April 2017

અન્નામણિ

અન્ના મણિ

                    મહાન ભારતીય વૈજ્ઞાનિક અન્નામણિ ની સફળતા ની વાર્તા પુરુષો અને મહિલાઓને પ્રેરણારૂપ છે. તેમના સમયગાળા દરમિયાન લિંગ તફાવતની બાબતોનો તેમણે સફળતાપૂર્વક સામનો કર્યો. તેમણેપોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે નાની નાની ભૂલો પર પણ મહિલાઓને અક્ષમ સાબિત કરવા માટે પોતાના સાથી પુરુષ મિત્રો દ્વારા પ્રયાસો કરવામાં આવતા હતા. તેમણે એ પણ બતાવ્યુ છે કે મહાન વૈજ્ઞાનિક સી.વી. રામન દ્વારા પણ પુરુષ વૈજ્ઞાનિકો સાથેના વિચાર-વિમર્ષ દરમિયાન પણ મહિલા પ્રશિક્ષાર્થીઓને અળગા રાખવામાં આવતા હતા. આ પરથી કહી શકાય કે તેમના સમયમાં મહિલાઓ માટે વિજ્ઞાન ક્ષેત્રમાં સ્થાન જમાવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે. 
           અન્ના મોડિયાલ મણિ નો જન્મ ૨૩ મી ઓગસ્ટ ૧૯૧૮ ના રોજ ભારતના કેરલ રાજ્યના પીરમેડુ માં એક ઇસાઇ પરિવારમાં થયો હતો. તેઓ અમીર માતા-પિતાના સાતમા સંતાન હતા. તેમને પાંચ ભાઇઓ અને બે બહેનો હતી. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા અને તેમની પાસે ઇલાયચીના મોટા બગીચા હતા.
             અન્ના મણિને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો અને બાર વર્ષની અલ્પાયુમાં જ તેમણે સ્થાનિક પુસ્તકાલયમાં રાખેલી અંગ્રેજી અને મલયાલમ ભાષાના બધા પુસ્તકો વાંચી લીધા હતા. પોતાના આઠમા જ્ન્મ દિવસ પર પરિવારના રીતરિવાજ મુજબ આપવામાં આવેલા હીરાના કુંડળોનો અસ્વીકાર કરીને ઇન્સાઇક્લોપેડિયા  બ્રિટાનિકા (Encyclopaedia Britannica) ખરીદી. આ તેમનો પુસ્તક પ્રત્યેનો લગાવ દર્શાવે છે.
              ઇ.સ.૧૯૨૫ માં ગાંધીજી અન્ના મણિના શહેરમાં આવ્યા અને અને ત્યાં તેમણે આત્મનિર્ભરતા અને વિદેશી કપડાંના બહિષ્કારની  વાત કરી. ગાંધીજીનો અન્ના મણિ પર ઘણો પ્રભાવ પડ્યો. તે સમયે તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ માં સામેલ ન હતા  છતાં પણ ખાદી પહેરવાનો નિર્ધાર કર્યો અને આજીવન ખાદી જ પહેરી. વ્યક્તિગત આઝાદી માટે પણ તેમ્ણે નિર્ધાર કર્યો અને પોતાની બહેનોની જેમ લગ્ન ન કરીને શિક્ષિત થવાનો નિર્ણય કર્યો અને આજીવન અવિવાહિત રહ્યા. 
              ઉચ્ચ શિક્ષણ મેળવવાના તેમના નિર્ણય પ્રત્યે પરિવારે વિરોધ તો ન દર્શાવ્યો પણ પૂરતી રુચિ દાખવી ન હતી. તે સમયે પુરુષોને ઉચ્ચ શિક્ષણ પૂરુ પાડવામાં આવતું હતું પણ સ્ત્રીઓને ફક્ત જરૂર પૂરતું અક્ષરજ્ઞાન આપવામાં આવતું હતું કે જે લગ્ન બાદ ઘરસંસાર ચલાવવામાં ઉપયોગી નીવડે.
             તેમણે ઇ.સ. ૧૯૪૦ માં મદ્રાસની પેરસીડેન્સી  કોલેજથી ફિજિક્સ ઓનર્સ ની ડિગ્રી પ્રાપ્ત કરી.તેમને બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા આગળના રિસર્ચ માટે શિષ્યવૃતિ પણ મળી.તેમણે સી.વી. રામન ની પ્રયોગશાળામાં ગ્રેજ્યુએટ સ્કોલર ના રૂપથી પ્રવેશ પણ મેળવી લીધો હતો. સર સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ તેમણે હીરો અને માણેક (રૂબી) ના વર્ણક્રમ (Spectroscopy) પર સંશોધન કર્યું. તેના માટે તેમને ફોટોગ્રાફિક પ્લેટ્સ ને લાંબા સમય માટે પ્રકાશમાં રાખવી પડતી હતી જેથી તેઓ મોટા ભાગે પ્રયોગશાળામાં જ સૂઇ જતા હતા.  
             લાંબા પ્રયાસ અને મહેનતથી તેમણે ૧૯૪૨ થી ૧૯૪૫ ની વચ્ચે પાંચ સંશોધન પત્રો તૈયાર કર્યા અને મદ્રાસ યુનિવર્સિટીને પોતાની પી.એચ.ડી. ના  સંશોધનો રજૂ કર્યા.  આ દરમિયાન અન્ના મણિ દ્વારા એમ.એસ.સી. ન કરવાના કારણે યુનિવર્સિટીએ તેમને પી.એચ.ડી. ની ડિગ્રી એનાયત ન  કરી. જોકે આ કાગળની ડિગ્રી ન મળવાના કારણે તેમના સંશોધન અને વિજ્ઞાન પ્રતિ તેમના રસ અને રુચિને ઓછપ ન આવી અને કોઇ પ્રતિકૂળ પ્રભાવ ના પડ્યો. આજે પણ તેમના આ સંશોધન પત્રો સી.વી. રામન રિસર્ચ લાઇબ્રેરીમાં સન્માનપૂર્વક સાચવી રખાયેલા છે. થોડા સમય પછી અન્નામણિને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ માટે સરકાર તરફથી શિષ્યવૃતિ મળી. તેમણે ઇમ્પીરિયલ કૉલેજ લંડનથી મોસમ-વિજ્ઞાન સંબંધી ઉપકરણોની ઉપયોગિતામાં નિપુણતા પ્રાપ્ત કરી. અન્નામણિ ૧૯૪૮ માં ભારત પરત આવી અને પૂણે સ્થિત મોસમ વિભાગમાં જોડાયા અને ત્યાં તેમને રેડિયેશન ઉપકરણના નિર્માણ કાર્યના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા. તે સમયે મોસમ પરીક્ષણના નાનામાં નાના ઉપકરણો પણ વિદેશથી આયાત કરવામાં આવતા હતા. અન્ના મણિએ ઓછા સમયમાં મોસમ-વિજ્ઞાનના ઉપકરણોના ભારતમાં ઉત્પાદનની ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને જલ્દી જ અન્ના મણિએ ભારતીય વૈજ્ઞાનિકો અને કાર્યશીલ ઇજનેરોની ટીમ તૈયાર કરી અને ૧૦૦ થી વધુ મોસમ સંબંધી ઉપકરણોનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. અન્નામણિને સૌર ઊર્જાના ઉત્પાદનમાં વધુ રસ હોવાથી ભારતમાં સૌર ઊર્જા ના ઉત્પાદન માટે વિકાસ કરવાનું વિચાર્યું. ૧૯૫૭-૫૮ ના વર્ષમાં તેમણે ભારતમાં સૌર ઊર્જાના વિકાસ માટે કાર્ય શરૂ કર્યુ અને શરૂઆતમાં વિદેશી ઉપકરણોના માધ્યમથી અને ત્યારબાદ દેશમાં બનાવેલ ઉપકરણોની મદદ લેવા માંડી.
               ૧૯૬૦ માં એમણે ઓઝોન વાયુ પર અધ્યયન શરૂ કર્યું, આ વિષય તે સમયમાં લોકપ્રિય ન હતો. તેમણે ઓઝોનની ઘાતક અસરો વિશે સમજ આપી અને ઓઝોન વાયુનું પ્રમાણ માપવા માટેનું ઉપકરણ ઓઝોનસોન્ડે ના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. જેના કારણે ભારત દેશ વિશ્વના એ દેશોમાં સામેલ થઇ ગયો કે જેની પાસે આ પ્રકારનું પોતાનું ઉપકરણ હોય. અન્ના મણિને આ મહત્વ પૂર્ણ યોગદાન બદલ વર્લ્ડ મેટ્રોલોજીકલ એસોસિયેશન તરફથી ઓઝોન કમીશનના સદસ્ય ઘોષિત કર્યા હતા.  
              ૧૯૭૫ માં તેમણે મિસ્ર ના વર્લ્ડ મેટરોલોકન ઓર્ગેનાઇઝેશન ના વિકિરણ અનુસંધાનના માનનીય સલાહકાર તરીકે કાર્ય કર્યું. ૧૯૭૬ માં અન્ના મણિ ભારતીય મૌસમ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે સેવા બજાવીને નિવૃત થયા. અને ત્યારબાદ રમણ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કાયમ રહ્યા. અને નવા જોડાનાર વૈજ્ઞાનિકોને પોતાના અનુભવ અને જ્ઞાનનો લાભ આપવા લાગ્યા. 
             તેમના દ્વારા લખાયેલ બે પુસ્તકો હેન્ડબુક ઓફ રેડિયેશન ડેટા ફોર ઇન્ડિયા (૧૯૮૦) અને સોલાર રેડિયેશન ઓવર ઇન્ડિયા (૧૯૮૧) સૌર ઊર્જા પર સંશોધન કરનારા ઇજનેરો અને વૈજ્ઞાનિકો માટે મહત્વપૂર્ણ સાબિત થયા. એક દૂરદર્શી વૈજ્ઞાનિક તરીકે તેમણે ભારતમાં પવનઊર્જા ની સંભાવનાઓ માટે સંશોધન કર્યું અને પવન ઊર્જાના સ્ત્રોત અને તેની ગતિ તેમજ મહત્વના વિસ્તારો પર સંશોધન કરી તેના આંકડા ૧૯૮૩ માં પ્રકાશિત કર્યા. આજે ભારત પવન ઊર્જાના ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે તેમાં મહત્વનો ફાળો અન્નામણિનો છે. કેટલાય વર્ષો તેમણે સૌર ઊર્જા અને હાવા માપનના ઉપકરણો બનાવતી નાની કંપની સાથે જોડાઇ રહ્યા. 
              અન્ના મણિ પ્રકૃતિ પ્રેમી પણ હતા. પહાડો પર ઘૂમવું અને પક્ષીઓની ગતિવિધિઓને ધ્યાનથી નિરિક્ષણ કરવું તે એમનો શોખ હતો. તેઓ અનેક સંસ્થાઓ જેમ કે- ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી, અમેરિકન મિટિરયોજિકલ સોસાયટી અને ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી ના સભ્ય તરીકે રહ્યા. ૧૯૮૭ માં એમણે નેશનલ સાયન્સ એકેડમી તરફથી કે.આર. રામનાથન પદકથી સન્માનિત કર્યા.
         ૧૯૯૪ માં તેમને સ્ટ્રોક આવ્યા અને પથારીવશ થઇ ગયા. ૧૬ મી ઓગસ્ટ ૨૦૦૧ માં તિરુવનંતપુરમમાં તેમનું અવસાન થયું.



Friday, 14 October 2016

સલીમ અલી


સલીમ અલી
       ગુજરાતના વનસ્પતિશાસ્ત્રી અને આર્યુંવેદાચાર્ય,પક્ષીવિદ, પ્રકૃતિવાદી, વન્યજીવન સંરક્ષણવાદી અને ભારતના બર્ડ મેનતરીકે જાણીતા ડૉ. સલીમ મોહિઝુદ્દીન અબ્દુલ અલીનો જન્મ તા.૧૨/૧૧/૧૮૯૬ ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનુ મૂળ વતન ખંભાત હતું. તેમનું આખું નામ ડૉ.સલીમ મોહિઝુદ્દીન અબ્દુલ અલી હતું. ડૉ.સલીમ અલી એની જિંદગીના શરૂઆતના દિવસો બેકારી અને તકલીફોમાં વિતાવ્યા હતા. નસીબે એનો હાથ પકડ્યો ના હોત તો તે વેપારધંધામાં કે ઓફીસ મેનેજર તરીકે જ જીવી જાત. દસ વર્ષની વયે સલીમને મામાએ એરગન લઇ આપી. એક દિવસ સલીમે ચકલીનો શિકાર કર્યો. આ ચકલીના ગળાનો નીચેલો ભાગ પીળા રંગનો હતો. સલીમ એ જાણવા ઉત્સુક હતો.પણ તેના મામા કહી ણા શક્યા કે ચકલી નોખી કેમ છે. એમણે સલીમને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી પર જવાનું સૂચવ્યું. એ ગયો તો ખરો,પણ અજાણ્યા અને વિચિત્ર લાગતાંઅંગેજ માનદ મંત્રી એસ.મીલાર્ડની પાસે જતાં અચકાતો હતો. હિંમત કરી તે ઓફિસમાં ગયો. આ એક જ ઘટનાએ સલીમની જિંદગીમાં આમૂલ પરિવર્તન આવ્યું. અને ભારતને તેનો શ્રેષ્ઠ પક્ષીવિદ મળ્યો. મિલાર્ડે પેલી ચકલીને પીળા રંગની ચકલી ઓળખી બતાવી અને સોસાયટીમાં દવાઓ ભરીને સાચવેલા પક્ષીઓનો અદભૂત ખજાનો પણ એને બતાવ્યો. સલીમને આ ઘટના પછી પક્ષીવિદ તરીકે જ વ્યવસાયમાં જોડાવાનો સંકલ્પ કર્યો.તેમને ભારતમાં હૈદરાબાદ રાજ્યના પક્ષીઓની મોજણીની સર્વપ્રથમ કામગીરી કરી.ત્યારપછી સમગ્ર ભારતના બધા જ પ્રદેશમાં પક્ષીઓની મોજણીની કામગીરી કરી હતી.
            સલીમ અલીએ દાયકાઓ સુધી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બી.એન.એચ.એસ)સાથે રહીને વિવિધ પ્રજાતિઓનાં પક્ષીઓ વિશે ગહન સંશોધનકાર્ય કર્યું હતું. ઇ.સ. ૧૯૪૭ પછી તેમણે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી માં પ્રમુખ વ્યક્તિ તરીકે યોગદાન આપ્યું અને ભરતપુર પક્ષી અભયારણ્ય’(કેઓલદેવ રાષ્ટ્રીય ઉદ્યાન) ના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.તેમણે સાયલનન્ટ વેલી નેશનલ પાર્કને બચાવવા માટે પણ મહત્વનું યોગદાના આપેલ છે. કચ્છ અને ત્રાવણકોરનાં પક્ષીઓ પર તો તેમણે સ્વંતત્ર ગ્રંથો લખ્યા છે. ડૉ. સલીમ અલી દ્વારા લખાયેલું અને ૧૯૪૧ માં પ્રકાશિત થયેલું  “The Book of Indian Birds”  જે BNHS & Oxford દ્વારા પણ પ્રકાશિત થયું અને બધા જ પક્ષીપ્રેમીઓ દ્વારા વખાણાયુ છે. જેમા ભારતમાં જોવા મળતા 500 થી વધુ પક્ષીઓની સચિત્ર માહિતી છે તથા પક્ષીનિરીક્ષણ માટેના ફિલ્ડમાર્ક અને પૂરકમાહિતી પણ ખૂબ જ સરસ છે. ત્યારબાદ તેમણે બીજુ પુસ્તક  “handbook of the birds of india and Pakistan ” પણ લખ્યું છે. જેમાં તેમણે પક્ષીઓની ગુણ-અવગુણ, પ્રવાસી આદતો વિશે રોચક માહિતી આપેલ છે. 'આપણાં સામાન્ય પક્ષીઓ'   એ તેમનું પ્રસિદ્ધ પુસ્તક છે. આ ઉપરાંત પણ તેમણે પક્ષીઓ વિશે ઘણા પુસ્તકો લખ્યા છે. તેમણે ધ હોલ ઓફ ધ સ્પેરોનામની આત્મકથા લખી.
               તેમણે ઘણા રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયા છે. ૧૯૫૮ માંભારત સરકારે તેમ ને પદ્મ ભૂષણઅને ૧૯૭૬ માં પદ્મવિભૂષણ આપી સન્માનિત કર્યા છે. ડૉ.સલીમ અલી ૨૦મી જુન ૧૯૮૭નાં દિવસે અવસાન થયું.  તેમના માન અને દેશને આપેલ અપ્રતિમ સેવા બદલ ગોવા સ્થિંત પક્ષી ઉદ્યાનનું નામકરણ કયા પ્રસિદ્ધ વ્ય ક્તિ નાં તેમના નામ પર રાખવામાં આવ્યું છે.
      અરૃણાચલ પ્રદેશના પશ્ચિમ વિસ્તારમાંથી મળી આવેલા વિશિષ્ટ અને નવી પ્રજાતિના પક્ષી હિમાલયન ફોરેસ્ટ થ્રસને ભારતના વિશ્વપ્રસિદ્ધ પક્ષી નિષ્ણાત સ્વ.સલીમ અલીનું નામ આપવામાં આવ્યું છે.એટલે કે આ નવી પ્રજાતિના પંખીને ઝૂથેરા સલીમ અલી એવું નામ આપવામાં આવ્યું છે.  કોચિ શહેરથી 58 કિમી અને એર્નાકૂલમ જિલ્લામાં કોઠમંગલમની ઉત્તરે મધ્ય કેરલાના ઇડુક્કી જિલ્લાના દેવીકુલમ તાલુકામાં તટ્ટેક્કાડમાં તટ્ટેક્કાડ પક્ષી અભ્યારણ્યઆવેલું છે. આ પક્ષી અભ્યારણ્યની વૈશ્વિક પ્રસિદ્ધિની કીર્તિ ડો સલીમ અલી આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત પક્ષીવિદ્યા નિષ્ણાતને કારણે છે.

Wednesday, 7 October 2015

ભારતના વૈજ્ઞાનિક



વિજય ભાટકર

              ભારતને સુપર કમ્પ્યુટર ટેકનોલોજી આપવાના અમેરીકાના ઈન્કારથી રાજીવ ગાંધી સમસમી ઉઠયા અને વિજય ભાટકરે સુપર કમ્પ્યુટર બનાવ્યુ.
              અમેરીકા પાસે ક્રેનામનુ સુપર કોમ્પ્યુટર તે સમયે હતુ. હવામાનની સચોટ આગાહી કરી શકાય તે માટે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ અમેરીકા પાસે આ કોમ્પ્યુટર ટેકનોલોજી માંગી હતી. અમેરીકાએ ભારતને એવુ રોકડુ પરખાવ્યુ હતું કે તમે તેનો ઉપયોગ સંરક્ષણ ક્ષેત્રે કરી શકો તેમ છે એટલે તમને આ ટેકનોલોજી નહી મળે. જેના પગલે રાજીવ ગાંધીએ ઘરઆંગણે આ પ્રકારની ટેકનોલોજી વિકસાવી શકાય કે નહી તેની શક્યતાઓ ચકાસવાના આદેશ પોતાની ટીમને આપ્યા હતા. જ્યારે આ માટે મને વિજય ભાટકરને બોલાવવામાં આવ્યા ત્યારે રાજીવ ગાંધીએ તેમને  સીધો પ્રશ્ન પૂછ્યો હતો કે તમે સુપર કોમ્પ્યુટર બનાવી શકશોત્યારે વિજય ભાટકરનો જવાબ  હાહતો. ભારતના સુપર કોમ્પ્યુટરના આર્કીટેક્ટ ડો.વિજય ભાટકરે ઘરઆંગણે સુપર કોમ્પ્યુટર બનાવવાનો પડકાર સફળતાપૂર્વક ઝીલી બતાવ્યો હતો.
                 મિસાઇલ તકનિક અને  ક્રાયોજનિક(નીચા તાપમાનના એન્જિન) અને પરમાણુ વિસ્ફોટો ના સમય દરમિયાન એક સાથે કરોડોની ગણતરી કરવી પડે છે. આના માટે સુપર કમ્પ્યુટરની જરૂર પડે છે. પરમ’  શ્રેણીનું પ્રથમ સુપર કમ્પ્યુટરની શોધ કરીને ડૉ.વિજય ભાટકરે ભારત દેશને વૈશ્વિક પટલ પર શક્તિશાળી દેશના રૂપમાં સ્થાપિત કર્યો છે. સુપર કમ્પ્યુટર પરમના સર્જક તરીકે ડૉ.વિજય ભાટકરનું નામ સર્વોપરી છે. જેઓનું નામ આઇ.ટી વૈજ્ઞાનિકોના જૂથમાં ઉલ્લેખનીય છે.
                  વિજય ભાટકરનો જન્મ અકોલા. મરાષ્ટ્રના એક મરાઠા પરિવારમાં ૧૧ ઑક્ટોબર ૧૯૪૯ ના રોજ થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ અકોલા ગામમાં જ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ ૧૯૬૫ માં એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરવા તેઓ વી.એન.આઇ.ટી. નાગપુર ગયા.વી.એન.આઇ.ટી. મહારાષ્ટ્રની પ્રતિષ્ઠિત કોલેજોમાંની એક છે. આ કોલેજની સ્થાપના જૂન ૧૯૬૦ માં ભારતીય સરકારના શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત થઇ હતી. આ કોલેજનું પ્રથમ સત્ર ૧૯૬૦ માં શરૂ  થયું. અને બોર્ડ ઓફ ગવર્નરે સર એમ. વિશ્વેશ્વરૈયા ના નામથી કોલેજનું નામકરણ કર્યું. એન્જિનિયરની ડિગ્રી મેળવ્યા બાદ ૧૯૬૮ માં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવા તેઓ એન્જિનિયર વિશ્વવિદ્યાલય,વડોદરા ગયા. ૧૯૭૨ માં આઇ.આઇ.ટી. દિલ્હીથી તેમણે એન્જિનિયરીંગમાં ડોકટરેટની પદવી મેળવી. ત્યારબાદ વિજય ભાટકરે આઇ.ટી.માં  શિક્ષણના વ્યાપ માટે આંતરરાષ્ટ્રીય સૂચના પ્રૌદ્યોગિકી સંસ્થાનની સ્થાપના કરી. આ સંસ્થાનમાં ઉચ્ચતર શિક્ષણ માટે શોધ-સંશોધન સુવિધા ઉપરાંત  એક હજારથી વધુ વિદ્યાર્થીઓ એક સાથે શિક્ષણ મેળવી શકે તેવી યોજના તૈયાર કરવામાં આવી. શ્રી વિજય ભટનાગરના (૮) આઠ પુસ્તકો અને ૮૦ થી વધારે શોધ સંશોધન પત્રો પ્રકાશિત થઇ ચુકેલા  છે.
                   ઈ.સ.૨૦૦૦ ની સાલમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડો.ભાટકર ટોચના સાયન્ટીસ્ટ હોવા ઉપરાંત દેશને આઈટી ક્ષેત્રે ઉચ્ચ કક્ષાનું નેતૃત્વ પુરું પાડયું છે. હાલમાં તે ઈન્ડિયા ઈન્ટરનેશનલ મલ્ટિર્વસિટીના ચાન્સેલર, ઈ.ટી.એચ. રિસર્ચ લેબના ચેરમેન, આઈ.ટુ.આઈ.ટી.ના ચીફ મેન્ટર, વિજ્ઞાન ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્ર સરકારની કેબિનેટના વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવા આપી રહ્યાં છે. ઇ.સ. ૨૦૦૩ માં રોયલ સોસાયટી તરફથી દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવેલા વૈજ્ઞાનિકોની ટુઅકડીનું નેતૃત્વ વિજય ભાટકરે કર્યું હતું. હાલમાં તેઓ ઘરેલું શિક્ષણ પદ્ધતિ ઇ.ટી.એચ. અને જન કલ્યાણમાં વધારો થાય તેવી પરિયોજનાઓ પર કામ કરી રહ્યા છે. હાલમાં તેઓ ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર સમિતીના સભ્ય પદ પર પણ કાર્યરત છે. આ ઉપરાંત ભારત દેશમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સુવિધાને દૂરદૂર સુધીના અંતરિયાળ ક્ષેત્રોમાં પહોંચાડવાની પરિયોજનાપર કામ કરી રહ્યા છે.
                    ભારતીય આઇટી.ક્ષેત્રમાં મહાન યોગદાન બદલ વિજયભાટકરને અનેક પ્રતિષ્ઠિત  પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. ૧૯૯૯-૨૦૦૦ માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર, ૨૦૦૦માં પ્ર્યદર્શિની પ્રસ્કાર, અને ૨૦૦૧ માં સૂચના પ્રદ્યોગિકી ક્ષેત્રમાં ઓમપ્રકાશ ભસીન ફાઉન્ડેશન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. કહેવાય છે કે આજનો યુગ  જ્ઞાન વિસ્ફોટનો યુગ છે. આ યુગમાં આગળ વધવા માટે સૂચના પ્રધોગિકી ક્ષેત્રમાં નિપુણતા મેળવવી જરૂરી બને છે.પરમશ્રેણીના સુપર કમ્પ્યૂટરની શોધ કરીને વિજય ભાટકરે ભારતને વિશ્વમાં ઉચ્ચ કક્ષાએ પહોચાડવાની આધારશિલા ઉપ્લબ્ધ કરાવી છે. મિસાઇલ અને પરમાણું ક્ષેત્રમાં ભારતે જે સિદ્ધિઓ હાંસલ કરી છે. તેનું શ્રેય વિજય ભાટકરના ફાળે જાય છે. પુનાના સી-ડેક ખાતે ૧૯૯૧ની સાલમાં તેમણે દેશનું સૌપ્રથમ સુપર કમ્પ્યુટર 'પરમ-૮૦૦૦' તૈયાર કર્યું હતું. ત્યારબાદ પરમ-૧૦૦૦૦ તૈયાર કર્યું હતું. હવે અમેરિકા અને જાપાન જ જે કમ્પ્યુટર બનાવી શક્યા છે તે 'પેટાસ્કેલ સુપર કમ્પ્યુટરડિઝાઈન કરવા પર કાર્યરત છે. ૧૯૯૧માં પરમઅને ૧૯૯૮માં તેનુ વધારે અપગ્રેડેડ વર્ઝન બનાવનારા ડો.ભાટકરે આ સુપર કોમ્પ્યુટરની ક્ષમતાનો ખ્યાલ આપતા કહ્યુ હતું કે ૧૯૯૮માં બનેલા પરમસુપર કોમ્પ્યુટરના વધારે આધુનિક વર્ઝનની ક્ષમતા પ્રતિ સેકન્ડ ૧ ટ્રીલીયન(૧૦૦૦ અબજ) ગણતરી કરવાની હતી.આ ટેકનોલોજી જુની થઈ ગઈ છે. હાલમાં જે સુપર કોમ્પ્યુટર્સ વિકસીત દશોએ બનાવ્યા છે તે પ્રતિ સેકન્ડ એક પેટા સુધીની ગણતરી કરી શકે છે. એક પેટા એટલે ૧૦૦૦ ટ્રીલીયન ગણતરી થઈ.
                ભારત જે સુપર કોમ્પ્યુટર બનાવવા જઈ રહ્યુ છે તેની ક્ષમતા પ્રતિ સેક્ન્ડ એક એક્ઝાની ગણતરી કરવાની હશે. એક એક્ઝા એટલે ૧૦૦૦ પેટા થાય છે. આમ ભવિષ્યમાં બનનારુ સુપર કોમ્પ્યુટર એક સેકન્ડમાં કેટલી ગણતરી કરશે તેનો અંદાજ કેલક્યુલેટર વડે બાંધવો પણ મુશ્કેલ હશે. આમ પદ્મ શ્રી ડો.ભાટકરનું આગલુ લક્ષ્ય ભારત માટે વિશ્વનુ સૌથી ફાસ્ટેટ સુપર કોમ્પ્યુટર 'એકઝાકલ સુપર કમ્પ્યૂટરબનાવવાનુ છે. આ સુપર કોમ્પ્યુટર બનાવવાનો ખર્ચે ૧૧૦૦૦ કરોડ રૂપિયા થશે. ભારત સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે.આ માટે હાલના તબક્કે ૫૦૦૦ કરોડ રૃપિયા મંજુર કરાયા છે. ભારતના જેટલા પણ કોમ્પ્યુટર નિષ્ણાતો છે તે આ સુપર કોમ્પ્યુટર પર કામ કરશે. આ લક્ષ્ય ૨૦૨૦ સુધીમાં આ કોમ્પ્યુટર તૈયાર કરી નાંખવાનુ છે પરમસુપર કોમ્પ્યુટર ૨ વર્ષના સમયગાળામાં તૈયાર થઈ ગયુ હતુ તે જ રીતે આ સુપર કોમ્પ્યુટર ૨૦૨૦ સુધીમાં ચોક્કસપણે તૈયાર થઈ શકે છે.
      ડો. ભાટકરની ઇચ્છા  'કમ્પ્યૂટરમાં સંસ્કૃત ભાષા હોયતે તરફની છે. જેની માટે મૂળભૂત રિસર્ચ જરૂરી છે.જે દિવસે કમ્પ્યૂટરમાં સંસ્કત ભાષાનો સમાવેશ થશે તે દિવસથી સમગ્ર દુનિયા સંસ્કૃત વાંચી શકશે. ડો. ભાટકરના સ્વપ્ન પ્રમાણે  'આગામી દિવસોમાં મનમાં વિચારશો તેનો સીધો જ જવાબ મળી રહે તેવા કમ્પ્યૂટર હશે. આગામી દિવસોમાં માત્ર વિચાર કરો અને તેનો જવાબ મળી જાય તેવા થ્રીડી, વચ્ર્યુઅલ કમ્પ્યૂટર હશે.
          તેમનું કહેવું છે કે સ્વતંત્રતાની શતાબ્દિ પર ભારત નંબર વન હશે.  દેશને આઝાદી મળી ત્યારે ભારતને ગરીબ દેશ માનવામાં આવતો હતો. આજે અર્થવ્યવસ્થા ક્ષેત્રે ભારત ત્રીજા સ્થાને છે. અમેરિકા, ચીન બાદ ભારતનો નંબર આવે છે. ૨૦૪૭ એટલે કે સ્વતંત્રતાની શતાબ્દિ વર્ષમાં ભારત આર્થિ‌ક, વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ જેવા તમામ ક્ષેત્રમાં અગ્રેસર હશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.


  

Friday, 20 March 2015

ભારતના વૈજ્ઞાનિક

અભય વસંત અષ્ટેકર
                  
                   અભય વસંત અષ્ટેકર એક ભારતીય ભૌતિક શાસ્ત્રી છે. તેમનો જન્મ ૫ મી જુલાઇ ૧૯૪૯ ના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે થયો હતો.  અભય વસંત અષ્ટેકર ભારતના મહારાષ્ટ્ર રાજ્યના મુંબઇ સહિતના અનેક શહેરોમાં ઉછર્યા છે. તેમણે 1986 માં ક્રિસ્ટીન ક્લાર્ક લગ્ન કર્યા અને તેમના પુત્રનું નામ  એક પુત્ર, નીલ અષ્ટેકર છે.
                ભારતમાં તેમણે પૂર્વ સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કરા બાદ તેઓ ઑસ્ટિનની યુનિવર્સિટી ઓફ ટેક્ષાસ માં ગ્રેજ્યુએટ પ્રોગ્રામફોર ગ્રેવિટેશન ના અભ્યાસસક્રમમાં જોડાયા. તેમણે ૧૯૭૪ માં બર્ટ ગેરોચના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી ઓફ શિકાગો ખાતેથી પી.એચ.ડી. ની ઉપાધિ પણ પ્રાપ્તકરી છે અને પેન સ્ટેટમાં સ્થાયી થતાં પહેલાં તેમણે ઓક્સફર્ડ, પોરિસ, સિકેક્યુસ ખાતે નિમણૂક મેળવી પોતાની સેવા આપી છે.
                 ૧૯૮૩ થી ૧૯૮૫ સુધી તેમણે યુનિવર્સિટી ધ પેરિસમાં ગુરૂત્વાકર્ષણ વિષયના પ્રોફેસર, ૧૯૮૪ થી ૧૯૯૨ દરમિયાન સિકેક્યુસ યુનિવર્સિટી ખાતે ફિઝિક્સ વિષયના પ્રોફેસર, ૧૯૯૨ થી ૧૯૯૩ સુધી ફિઝિક્સ એરાસ્તસ ફ્રેન્કલિન હોલ્ડન પ્રોફેસર તરીકે નિમણૂક મેળવી કામ કરેલ છે. તેમણે અનેક ક્ષેત્રમાં સર્જક તરીકે કામ કર્યું છે.  તેઓ પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્રેવિટેશનલ ફિઝિક્સ અને જીઓમેટ્રી વિભાગના પ્રોફેસર અને ડિરેક્ટર છે. ૧૯૯૩ થી તેઓ ગુરુત્વાકર્ષણ અને કોસ્મોસ માટે એબરલી ફિઝિક્સના પ્રોફેસર અને નિયામક તરીકે સેવાઓ આપી છે. સને ૨૦૦૦ થી૨૦૦૨ દરમિયાન તેઓ  ભારતીય ફિઝિક્સ એસોસિયેશનના અને ૨૦૦૭ થી ૨૦૧૦ દરમિયાન પ્રમુખ પદે ચૂંટાયેલા પણ ચૂટાયેલા છે. આ ઉપરાંત ૧૯૮૮ થી ૧૯૯૧ દરમિયાનમાં સંપાદકીય બોર્ડક્લાસિકલ અને ક્વોન્ટમ ગ્રેવીટીનું  સભ્ય પદ પણ તેમને મળેલ છે. ડિસેમ્બર ૧૯૮૯ માં તેમની  ની પસંદગી માટે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન પેનલ (ફિઝિક્સ વિભાગ) ના સભ્ય તરીકે પણ થયેલ છે. ૨૦૦૧ થી ૨૦૦૫ દરમિયાન ગુરુત્વાકર્ષણ વેવ ફિઝિક્સ માટે એન.એસ.એફ. ફિઝિક્સ ફ્રન્ટીયર સેન્ટરના કારોબારી સમિતિ, ૨૦૦૨ માં અમેરિકન ફિઝિકલ સોસાયટી ઓફ ફર્સ્ટ આઈન્સ્ટાઈન પ્રાઇઝ સમિતિ  અને ૨૦૦૪ થી અત્યાર સુધી ખગોળશાસ્ત્ર ની ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર સાયન્ટિફિક એડવાઇઝરી કાઉન્સિલ અને યુનિવર્સિટી જાયન્ટ્સ કમિશન ના ભારતના સભ્ય તરીકે ફરજ બજાવે છે.
                  ડો. અભય વસંત અષ્ટેકર લૂપ ક્વૉન્ટમ ગેવિટિ ના શોધક છે અને તેમનું અન્ય ક્ષેત્ર લૂપ ક્વૉન્ટમ કોસ્મોલોજી છે. તેમણે લૂપ ક્વૉન્ટમ ગ્રેવિટી વિષે સંખ્યાબંધ વર્ણન લેખો પણ લખ્યા છે. જે બિન-ભૌતિકશાસ્ત્રીઓ માટે ઘણા સુલભ થઇ પડે તેમ છે. ઇ.સ.૧૯૯૯માં અભય વસંત અષ્ટેકર અને તેમના સાથીઓ બ્લેક હૉલની નિષ્ક્રિય ઊર્જા ની ગણતરી કરવામાં સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહ્યા છે. ઓક્સફોર્ડના ગાણિતીક ભૌતિક શાસ્ત્રી રોઝર પેનરોઝ અષ્ટેકરના ક્વૉન્ટમ ગ્રેવીટી પરના સંશોધન અને તે માટે તેમણે કરેલા પ્રયત્નોને વખાણે છે. ગ્રેવીટી રિસર્ચ ફાઉન્ડેશન, મેસેચ્યુસેટ્સ, ૧૯૭૭ દ્વારા એનાયત વાર્ષિક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ ઇનામ પણ પ્રાપ્ત કરેલ છે.

                  ડૉ. અભય અષ્ટેકર પોતે એક નાસ્તિક છે. છતાં પણ તેમણે ભારતીય અને અન્ય પૂર્વીય તત્વજ્ઞાન વિશેના ગ્રંથો વાંચવામાં રસ છે. જેમ કે તાઓ અને ઝેન પરંપરાઓ વિષેના પુસ્તકો વાંચવામાં પણ તેમને રસ છે. વધુમાં તેઓ ભગવત ગીતાથી વધુ પ્રેરિત થયા હોવાનો દાવો કરે છે. જેનાથી પોતાના કાર્ય તરફ ઉત્તમ વલણ કેળવાય છે એવો તેમનો મત છે.

Sunday, 22 June 2014

ઝંડુ ભટ્ટજી

વૈધરાજ ઝંડુ ભટ્ટજી
                  
           ઝંડુ ભટ્ટજીનો જન્મ જામનગરના પ્રશ્નોતરા નાગર પરિવારમાં વિક્રમ સંવત ૧૮૮૭ના વૈશાખ સુદ ૫ ને રવિવારના રોજ થયો હતો. પાંચ પુત્ર અને ચાર બહેનોમાં  ભટ્ટજી સહુથી મોટા હતા. તેમના પિતાનું નામ વિઠ્ઠલ ભટ્ટજી અને માતાનું નામ સૂરજકુંવર હતું. ઝંડુ ભટ્ટજીના પિતા જામનગરના રાજા જામ રણમલના રાજવૈદ હતા. હાદાવેદા ના નામે ઓળખાતા તેમના પૂર્વજો લગભગ ત્રણસો-ચારસો  વર્ષ પહેલા પશ્ચિમ કાઠિયાવાડના છોટા કાશી ગણાતા જામનગરમાં આવી નિવાસ કરેલો.
           જામ ભટ્ટજીનું મૂળ નામ કરૂણાશંકર હતું. પરંતુ માથાના વાળ ઝંડુ જેવા તેથી માતા એમને  ઝંડુ ના હુલામણા નામથી બોલાવતી, એટલે પછી ઝંડુ ભટ્ટજી નામ પ્રચલિત થઇ ગયું. નાનપણથી જ તેઓ તીવ્ર જિજ્ઞાસાવૃતિ ધરાવતા હતા. વિ.સ. ૧૮૯૮ માં તેમને જનોઇ આપીને અભ્યાસનો પ્રારંભ થયો. જામનગરના પ્રખ્યાત શાસ્ત્રી મહીધર હરિભાઇ પાસે સંસ્કૃત નું જ્ઞાન મેળવ્યું. પિતાજી પાસેથી આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ સંસ્કૃતનો વિશેષ અભ્યાસ શાસ્ત્રી કેશવજી મોરારજી પાસે કર્યો. તેમને ચરક, સુશ્રુત અને વાગ્ભટના વૈદક ગ્રંથો પર અપાર ભાવ હતો.
           બાર વર્ષની વયે સાવરકુંડલાના માયારામ ભાટ્ટજીના પુત્રી પ્રભાકુંવર સાથે તેમના લગ્ન થયા.  સોળ વર્ષની ઉંમરે વિ.સં. ૧૯૦૩-૦૪ માં પિતાજીએ જામ રણમલની નોકરીમાં જોડી દીધા. સં. ૧૯૦૮ માં જામ રણમલ ગુજરી જતાં જામ વીભાજી ગાદીએ આવ્યા. તે સમયે તેમની સારવાર બાહોશીથી કરી અને તે જ દિવસે તેમને સાજા કર્યા. ત્યાર બાદ તે અરસામાં ભટ્ટજીની ખ્યાતિ સાંભળી એક યોગીરાજ ઉદરરોગની સારવાર માટે આવ્યા. ભટ્ટજીએ તેમને સાજા કર્યા અને બદલામાં યોગવિદ્યા શીખવવા માટે આગ્રહ કર્યો. વિ.સં. ૧૯૧૮ માં તેમના પિતાનું અવસાન થયું. તેમણે વૈદકનો સારો પ્રચાર કરવા માટે સુખદેવ મહાદેવની પ્રિય વાડીમાં વિ.સં. ૧૯૨૦ ના શ્રાવણ માસમાં જામસાહેબના સહકારથી તેમણે આયુર્વેદિક દવાઓનો ભંડાર,રસશાળા સ્થાપી. તેમણે પોતાની વાડીમાં ઔષધો રાખવાની સાથે સાથે દર્દીઓને રહેવાની સગવડ પણ ઊભી કરી. આમ આધુનિક હૉસ્પિટલનો ખ્યાલ ઝંડુ ભટ્ટજીએ આપ્યો.  
            વિ.સં. ૧૯૨૧ થી ૧૯૪૩ સુધીમાં મુંબઇ, રાજકોટ, ચૂડા, મોરબી, વઢવાણ અને માળિયામાં બીજી શાખાઓ ખોલી. ત્યારબાદ અમદાવાદમાં શ્રી દુર્લભજી શ્યામલ ધ્રુવ અને જટાશંકરભાઇની મદદથી સં.૧૯૪૫ માં રાયપુર ચકલાસામાં રસશાલાની શાખાઓ ખોલી. તેમની જીવન પ્રતિજ્ઞા હતી કે सिद्धे रसे करिष्यामि, निर्दारिद्र्यगतं जगत्। અર્થાત રસ સિદ્ધિ થતાં જગતને દરિદ્રતા તથા રોગથી રહિત કરીશ.
                      સં. ૧૯૩૧ માં જામસાહેબે ઝંડુ ભટ્ટજીને જામનગર શહેરના સુધરાઇના પ્રમુખ નીમ્યા. તેમણે સફાઇ અને સ્વસ્છતા માટે ઘણા કાર્યો કર્યા અને મૃત્યુપત્રકની નોંધ તેમણે શરૂ કરાવી. તેમણે લોકોને આરોગ્ય કેમ જાળવવું તે સમજાવવા જીવિત વર્ધક મંડળી સ્થાપી. વિ.સં. ૧૯૪૩ માં વૈદકને લગતા જ્ઞાનપ્રચાર માટે રસેશવૈદવિજ્ઞાન નામનું દ્વિમાસિક પણ શરૂ કર્યું. તેમણે જામનગરના દુર્લભ એવા બરડા ડુંગરના જંગલમાંથી વનસ્પતિના ઔષધિય ઉપયોગથી જામસાહેબને ખાસી ઉપજ અપાવી. આ બધા કારણોએ જામ વીભાની ભટ્ટજી પર પ્રિતી જાગી અને તેમનો પગાર વધારી આપ્યો સાથે તેમના સ્વર્ગવાસ પછી પણ તેમના પુત્ર શંકરપ્રસાદ ઝંડુને મળ્યા કરતો.
        નડિયાદમાં દેસાઇ બિહારીદાસના કુંટુંબમાં કોઇની બીમારીની સારવાર માટે ભટ્ટજી આવ્યા અને વીસ દિવસ રોકાયા. વૈશાખ વદ પાંચમને મંગળવારે સવારે આઠ વાગ્યે તેઓ દરદીઓને દવા આપી રહ્યા હતા ને દર્દ ઉપડ્યું અને આરામખુરશીમાં બેઠાબેઠા પંચત્વ પામ્યા.      


Monday, 23 September 2013

રસાયણશાસ્ત્રી નાગાર્જુન

રસાયણશાસ્ત્રી નાગાર્જુન
             રસાયણ શાસ્ત્રના મહાન જ્ઞાતા અને સિદ્ધ પદવીથી પૂજાતા મહાત્મા નાગાર્જુન,આજથી આશરે ૨૦૦૦ વર્ષ પહેલા, વિદર્ભ દેશમાં ( આજના મધ્ય પ્રાંત નજીકના વરાડ પ્રાંતમાં ) જનમ્યા હતા. તેમના માતા-પિતાના નામ જાણવા મળ્યા નથી. પરંતુ તેઓ બહુ જ બુદ્ધિશાળી હતા. તેઓ જ્યોતિષ હતા. નાગાર્જુનની બુદ્ધિ તેજ હતી. માત્ર પાંચ વર્ષની વયે વેદ અને બીજાં શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો હતો. અભ્યાસ માટે નાગાર્જુન નાલંદા વિશ્વવિદ્યાલયમાં ગયા અને પવિત્ર ભાવે બુદ્ધ ભગવાનના તત્વજ્ઞાનનું વાંચન કરવા માંડ્યું. નાલંદા એ સમયનું ખૂબ મોટું વિદ્યાધામ હતું. અહીં તે વેદ, વેદાંગ, ધર્મશાસ્ત્રો, ઇતિહાસ, ભૂગોળ અને રસાયણ શાસ્ત્ર શીખ્યા. યોગ્ય ઉંમરે  વિદ્યાભ્યાસ પૂર્ણ કરી  ત્યાં જ અધ્યાપક તરીકે જોડાયા. ત્યારબાદ નાલંદા વિશ્વ વિદ્યાપીઠના કુલપતિનું અવસાન થતાં તે જગ્યા પર તેમની નિમણૂંક કરવામાં આવી. ત્યારબાદ તે સમયે  ચાલતા બૌદ્ધ સંઘ ના નેતા તરીકે પણ તેમની નિમણૂંક કરવામાં આવી. ત્યારબાદ તેમણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે દેશનો પ્રવાસ શરૂ કર્યો.
               માનવામાં આવે છે કે તેમણે જાતજાતનાં દ્રવ્યો મેળવીને કોઇ નવા ઔષધો બનાવવાના પ્રયોગો કર્યા હતા. અને   તેમણે તે સમયે વાઢકાપના નવા ઓજારો પણ બનાવ્યા હતા. તેમણે પ્રયોગો કરીને સોનું, તાંબુ, કલાઇ, હીરા, મોતી અને પારાની ભસ્મ બનાવવાની વિધિઓ શોધી કાઢી. જેમાં આજે આપણે મકરધ્વજ ગળીઓ કે વસંતમાલતી ગોળીઓ ના નામે આપણે ખાઇએ છીએ.

             તેમણે રસાયણશાસ્ત્રની સાથે સાથે ધર્મ, તત્વજ્ઞાન, અને સ્થાપત્ય કળાઓમાં પણ ઘણો સુધારો કર્યો છે. અને જુદા જુદા વિષયો પર સંખ્યાબંધ ગ્રંથો લખ્યા છે.  નાગાર્જુને આ રીતે પોતાનું જીવન પવિત્ર રીતે લોક પરોપકારના કાર્યોમાં જ પૂર્ણ કર્યું. નાલંદા વિશ્વ વિદ્યાલયમાં સેવા બજાવ્યા બાદ ત્યાંથી વિદાય લઇ તેઓ પોતાની જન્મભૂમિમાં જઇ વસ્યા. વરાડ પ્રાંતમાં રામટેક નામે હાલ જાણીતા ગામમાં તેમણે એક મોટો ભિક્ષુવિહાર-સાધુઓને રહેવાનો મઠ બંધાવ્યો અને પોતે પણ ત્યાં જ રહ્યા. અહીં રહીને તેમણે ભગવાન બુદ્ધના મંદિરો બંધાવ્યા અને અને સાધુઓને ધાર્મિક શિક્ષણ આપીએ દેશવિદેશ ઉપદેશ, લોકસેવા, અને લોકશિક્ષણ માટે મોકલવામાં આવતા હતા. મહાત્મા નાગાર્જુને ઇ.સ. ૨૩ માં જન્મીને ઇ.સ. ૩૨૩માં, ત્રણસો વર્ષની લાંબી જિંદગી ભોગવી સંસારમાંથી વિદાય લીધી.  

Monday, 22 July 2013

ડૉ. મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા

ડૉ. મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા
            તેમનો જન્મ ૧૫ મી સપ્ટેમ્બર ૧૮૬૧ ના રોજ બેંગલોર પાસે આવેલા કોલર જીલ્લાના મદનહલ્લી ગામમાં થયો હતો. એમના પિતાનું નામ શ્રી નિવાસ શાસ્ત્રી હતું. માતાનું નામ વેંકચેયા હતું. માતએ બાળ વિશ્વૈશ્વરૈયામાં  સંસ્કાર રેડવાનું કામ કર્યું હતું. ગામની પ્રાથમિક શાળામાં એમણે શિક્ષણ લીધું. તેઓ ભણવામાં અંત્યત તેજસ્વી હતા. પ્રાથમિક શિક્ષણ પૂરું કરી તેઓ બેંગલોર આવ્યા. ખૂબ જ મુશ્કેલીમાં તેમણે હાઇસ્કૂલનું શિક્ષણ લીધું. આ પછી તેઓ ત્યાંની સેન્ટ્રલ કૉલેજમાં દાખલ થયા. ૨૦ વર્ષની ઉંમરે ઇ.. ૧૮૮૧ માં તેઓ બી.. થયા.
           કોલેજના આચાર્યની મદદથી એમને પૂનાની ઇજનેરી કૉલેજમાં પ્રવેશ મળ્યો અને છાત્રવૃતિનો પણ પ્રબંધ થયો. અને તેઓ મન દઇને અભ્યાસ કરવા લાગ્યા. મણે મુખ્ય વિષય યંત્રશાસ્ત્ર રાખ્યો હતો. .. ૧૮૮૩ માં તેઓ યંત્રશાસ્ત્ર વિષય સાથે મુંબઇ યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયા. પ્રથમ આવનાર આ વિદ્યાર્થીને મુંબઇ સરકારે ઇ.. ૧૮૮૪ માં સહાયક ઇજનેર તરીકે નિયુક્તિ આપી. અને તેઓ નાસિક ખાતેના ઇજનેરી વિભાગમાં તેઓ જોડાયા. તેમના કાર્યથી ઇજનેર તરીકેની તેમની ખ્યાતિ ચોમેર ફેલાઇ ગઇ. એમની કુશળતા જોઇ એમને સિંધના રણ વિભાગમાં સક્કર બંધ બાંધવાનું અને પાણીની મુશ્કેલીઓ દૂર કરવાનું કામ એમને સોંપ્યું અને સફળતાથી પાર પાડ્યું. તેથી તેમને બઢતી મળી અને સરકારના વિશ્વાસુ ઇજનેર બની ગયા.
          આ પછી તેમણે વડોદરા, કરાંચી, પૂના, કોલ્હાપુર, સાંગલી, સુરત, નાસિક, નાગપુર આદિ નગરો માં પાણી પૂરવઠાની યોજનાઓના બાંધકામ કર્યા. ઇ.સ. ૧૯૦૬ માં અંગ્રેજ સરકારે એમને એડન મોકલ્યા. ત્યાં પાણીના વ્યવહારની મુશ્કેલી હતી અને વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ પરિસ્થિતિ પ્રમાણે યોજના ઘડી અને સફળતાપૂર્વક પાર પાડી. અને તેમની ગણતરી મોટા ઇજનેર તરીકે થવા લાગી. આવામાં સાથી ઇજનેરોની ઇર્ષાથી વાતાવરણ કલૂષિત લાગતાં તેમણે આ નોકરી છોડી દીધી અને ભારત પરત આવ્યા.
            ત્યારબાદ તેઓ યુરોપ ના પ્રવાસે ગયા. આ દરમિયાન હૈદરાબાદના નિઝામે એમને તાત્કાલિક પાછા આવવાનો તાર મોકલ્યો. અને મુસી નદીમાં  આવતા પૂરના નિયંત્રણ માટે યોજના ઘડવાનું કામ સોંપ્યું. આ કામની સફળતા બાદ મૈસૂરના રાજા કૃષ્ણરાજે આમંત્રણ આપ્યું. અને રાજના મુખ્ય ઇજનેર બનાવ્યા. ત્રણ વર્ષ સુધી તેમણે આ કાર્યભાર સંભાળ્યો અને તેમને મૈસૂર રાજ્યના દીવાન બનાવ્યા, અને છ વર્ષ સુધી સેવા આપી.
             એમણે કાવેરી નદી પર કૃષ્ણરાજસાગર નામનો બંધ બનાવ્યો. ઉપરાંત વૃદાવન બાગની રચના કરી. એમણે મૈસૂર યુનિવર્સિટી અને મૈસૂર સ્ટેટ બેંકની સ્થાપના કરી. આ સમય દરમિયાન ભદ્રાવતીનું લોખંડનુ કારખાનું ચાલુ કરવાનું કામ તેમને સોંપાયું અને  તેમને કારખાનાના બોર્ડ ઓફ ડિરેક્ટર અધ્યક્ષ તરીકે નીમ્યા. તેમણે ચામરાજેન્દ્ર ઓક્યૂપેશનલ ઇન્સ્ટિટ્યૂટ ની સ્થાપના કરી જે જુદા જુદા ઉદ્યોગોનું શિક્ષણ આપે છે.
         મૈસૂર છોડ્યા બાદ તેઓ ફરી વિદેશની યાત્રાએ ગયા. આ પછી ભારત દેશ આઝાદ થયો. ભારત સરકારે એમની સેવાઓને ધ્યાનમાં લઇ ઇ.સ. ૧૯૫૫ માં ભારતરત્ન નો સર્વોચ્ચ ઇલ્કાબ આપ્યો. ૧૫ મી  સપ્ટેમ્બર ૧૯૬૧ રોજ એમના આયુષ્યના ૧૦૦ વર્ષ પુરાં થયા અને સરકારે ખાનગી રાહે એમના જન્મદિવસની ઉજવણી કરી એમના જન્મ શતાબ્ધી દિને જવાહર લાલ નહેરુએ કહ્યું. “ ડૉ. વિશ્વૈશ્વરૈયા કામ અધિક કરે છે ને બોલે છે ઓછું સો ઇજનેરો કામ ન કરી શકે એવું કામ એમણે એકલાએ કર્યું છે. “ઇ.સ. ૧૯૬૨ ની ૧૪  મી એપ્રિલે એમનું નિધન થયું.