Sunday 27 January 2013

એન. પી. બેનાવરી


એન. પી. બેનાવરી

           ડૉ. એન. પી. બેનાવરી જન્મ ભારતના બિહાર રાજ્યમા ઇ.સ. ૧૯૧૭માં ૫મી જુલાઇના રોજ થયો છે. તેઓ પ્રારંભથી જ એક તેજસ્વી વિધાર્થી હતા. પોતાના વતનમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે અનેક માન-અકરામ સાથે પૂરું કરેલું.
           એ વખતે બિહારમાં ગરીબાઇ વધારે હતી. લોકોને પૂરતી આમદાની નહોતી મળતી.આથી તેઓ અપૂરતા પોષણને લઈને રોગથી પીસાતાં અને મૃત્યુ પામતાં. પોતાના વતનના લોકોની આ અવદશા જોઇને એન.પી બેનાવરીએ મનોમન તબીબ થવાનું વિચાર્યું. બિહારમાં કોઇ તબીબી   કોલેજ નહિ હોવાથી તેઓ લખનૌની કે.જી. મેડિકલ કોલેજમાં જોડાયા.
          ઇ.સ. ૧૯૩૪માં તેઓ પ્રથમ વર્ગ સાથે એમ.બી.બી.એસ. થયા અને તે જ કોલેજમાં અધ્યાપન કર્ય સ્વીકાર્યુ.તેમની અધ્યાપક તરીકે ઊંચી સેવાની ચોમેર નોંધ લેવાઇ.
         આથી તેમને ગ્વાલિયરની પ્રસિધ્ધ જી.આર.મેડિકલ કોલેજમાં એનેટોમી (શરીરશાસ્ત્ર) અને બાયોકેમેસ્ટ્રી (જીવન-રસાયણશાસ્ત્ર) વિભાગમાં જોડાવવાની તક મળી. પાછળથી પોતાની આગવી કાર્યપ્રતિભાને બળે તેઓ આ વિભાગના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કરાયા.        
            તેમણે જોયું કે મોટાભાગના રોગો અપૂરતા પોષણને લીધે થાય છે. શરીરને પડતો ઘસારો ના પૂરાય તો તે કેટલું ચાલે ? આ માટે ખરી દવા તો યોગ્ય ખોરાક જ છે જેના દ્ધ્રારા પૂરેપુરી શક્તિ મળે છે. તેમણે આના ઉપાય રૂપે વિટામિનો શોધ્યાં. આમ લોકોમાં તેની ઊણપ દૂર થતાં લોકો ઝડપથી સાજા થવા લાગ્યા અને તેઓ લાખોના હમદર્દી બન્યા.  

No comments: