Saturday 29 June 2013

સુવચનો

સુવચનો
Ø  સફળતા ન મળે તો વાંધો નહિ, સફળતાની વાત કરો, પણ નિષ્ફળતાનો કદી વિચાર ન કરો.  
Ø  તમારી ભૂલો તમને કેમ ઉપયોગી થાય તે વિચારો.
Ø  મહેનત પાછળ નસીબ દોડતું આવે છે.
Ø  પહેલાં નિર્ણય કરો, પછી જ કામની શરૂઆત કરો.
Ø  સફળતા કે નિષ્ફળતા તમારા મનમાં જ રહેલી છે.
Ø  ખોટું કરવા કરતાં કંઇ ન કરવું વધારે સારું.
Ø  ધીમે બોલો, ધીરે બોલો અને થોડું બોલો.
Ø  જે કામ તમે જાતે કરી શકો, તે બીજાને સોપો નહિ.
Ø  યાદ રાખો, તમારા સિવાય કોઇ તમને દીન બનાવી શકે નહિ.
Ø  પારકાની કોઇ વસ્તુની ઇચ્છા ન રાખવી.
Ø  તમારો નિર્ણય લાગણીથી ન લો, પણ તર્કના તરાપા ઉપર બેસીને લો.
Ø  ઘણીવાર ઉતાવળને લીધે જ મોડું થાય છે.
Ø  સદકાર્ય કદી એળે જતું નથી.
Ø  મૂર્ખા પોતાની ભૂલોથી શીખે છે, ડાહ્યાઓ બીજાની.
Ø  જે ઝાડ છાંયો આપતું હોય તેને કાપશો નહિ.
Ø  અજ્ઞાનીને બે વખત સમજાવવું પડે છે, પણ અભિમાનીને ત્રણ વખત.
Ø  નબળા માણસો બહુ નીચા નમીને નમન કરશે.
Ø   સાંભળીને શીખો, પણ સમજો મનન કરીને.
Ø  સુખ પૈસામાં નહીં, હ્દયમાં શોધવું જોઇએ.
Ø  હેત વિનાનું જીવન સઢ વિનાના વહાણ જેવુ છે.
Ø  માત્ર એક ભૂલ, આખો ભવ બગાડી શકે છે.
Ø  પહેલાં આપણે ખરાબ ટેવ પાડીએ છીએ, પછી ખરાબ ટેવ આપણને પાડે છે.
Ø  જે જ્ઞાન આચરણમાં ઊતર્યુ નથી તે ભારરૂપ છે.
Ø  જ્ઞાન સંઘરશો તો ઘટશે, વહેચશો તો વધશે.
Ø  દયા સુખોની લતા છે.
Ø  દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે.
Ø  કોઇ માણસને ખુશ કરવો હોઇ તો તેની વાતો નિરાંતે સાંભળો.
Ø  દરેક અંત, નવાની શરૂઆત છે.
Ø  ટીકા કરતાં વખાણ કરો,સારા શબ્દોની કિંમત કઇ નથી.
Ø  ચિંતાએ આજ સુધી કોઇ પણ કાર્યને પૂર્ણ કર્યુ નથી.
Ø  ચિંતા દરેક પ્રકારની સુંદરતા અને સ્વાસ્થ્યનો શત્રુ છે.
Ø  જીવન એક ફુલ છે, પ્રેમ એની સૌરભ છે.
Ø  મુશ્કેલીનો સામનો કરવો તેનુ નામ જ જિંદગી.
Ø  જ્ઞાનનો સંદેશ આપવો એ જ દક્ષિણા છે.
Ø  જિંદગી એ ફુલોની સેજ નથી પણ રણમેદાન છે.
Ø  ચિંતા જીવનનો શત્રુ છે.
Ø  ચિંતા સિવાય બીજું કોઇ શરીરને શોષનારું નથી.
Ø  ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે.
Ø  આનંદ એ દૈવી ઔષધ છે. દરેકે તેમાં સ્નાન કરવુ જોઇએ.
Ø  પ્રસન્નતા જ સ્વાસ્થ્ય છે. અને અપ્રસન્નતા જ રોગ છે.
Ø  ગરીબી ખાનદાનીને દબાવી શકતી નથી.
Ø  ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની કસોટી છે.
Ø  ઇશ્વર ગરીબને ગરીબ રાખીને એ તપાસે છે કે તેમાં હિંમત છે કે નહિ.
Ø  બદલો લેવા કરતા ક્ષમા હંમેશા સારી છે.    
Ø  ખુશી આપવામાં છે, લેવા તથા માંગવામાં નથી.
Ø  પ્રસન્નતા બધા જ સદગુણોની માતા છે.
Ø  પ્રસન્ન ચિતવાળાની બુદ્ધી જલદી સ્થિર થાય છે.
Ø  યશ ત્યાગથી પ્રાપ્ત થાય છે, દગાથી નહિ.
Ø  હજારો વર્ષનો યશ એક દિવસના ચારિત્ર્ય પર નિર્ભર છે.
Ø  કીર્તિ કદી શબ્દોનું શરણ લેતી નથી.
Ø  ક્રોધ એ નિર્બળતાની નિશાની છે.
Ø  જ્યારે ક્રોધ આવે ત્યારે તેના પરિણામનો વિચાર કરો.
Ø  ક્ષમા વીરોનું આભૂષણ છે.    

No comments: