Wednesday 5 June 2013

૧૮ મી મે

બન્ટ્રાન્ડ રસેલ

               તેજસ્વી દાર્શનિક બન્ટ્રાન્ડ રસેલનો જન્મ તા. ૧૮-૦૫-૧૮૭૨ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો. મોટાભાગનું શિક્ષણ ઘરમાં જ લીધું. અઢાર વર્ષની વયે તત્વજ્ઞાન વિષયમાં પ્રથમવર્ગ પ્રાપ્ત કર્યો. સૌ પ્રથમ એમણે પ્રિન્સિપલ્સ ઓવ મેથેમેટિક્સ નામનો ગ્રંથ આપ્યો. પછી એમણે મુક્ત વિચારસરણીવાળું ચર્ચાસ્પદ પુસ્તક લગ્ન અને નીતિ લખ્યું. ૮૨માં વર્ષે ટૂંકી વાર્તાઓના બે સંગ્રહ લખીની સાહિત્યજગતને તેણે ચકિત કરી દીધું.તેમણે બ્રિટીશ સામ્રાજ્યનું સર્વોચ્ચ માન ઓર્ડર ઓફ મેરિટ મળ્યું હતું. આ મહાન ફિલોસોફર ભારત તરફથી પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. ૯૮વર્ષનું સુદીર્ઘ નિરામય આયુષ્ય ભોગવી એમણે ચિરવિદાય લીધી.     

No comments: