Wednesday 5 June 2013

૧૬ મી મે

અંબુભાઇ પુરાણી

                શ્રી અંબુભાઇ પુરાણીનો જન્મ તા. ૧૬-૦૫-૧૮૯૪ના રોજ સુરતમાં થયો હતો. મેટ્રીક થઇ મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગ્રેજ્યુએટ થયા. બંગાળના ભાગલાની લડત સમયે તેઓ બારીન્દ્રકુમાર ઘોષના પરિચયમાં આવ્યા. પોંડિચેરીમાં શ્રી અરવિંદ પાસે તેઓ ભારતદેશની ગુલામીમાંથી  મુક્તિ માટે કંઇક કરી છૂટવાની ભાવનાથી માર્ગદર્શન મેળવવા જતા. તેઓ યોગના સાધક બન્યા અને સાથે સાથે ગુજરાતમાં વ્યાયામ પ્રચારકનું રાષ્ટ્રીય શિક્ષણના પ્રસારનું કાર્ય કર્યું

No comments: