Saturday 4 April 2020

૧૪ મી નવેમ્બર


પંડિત જવાહરલાલ નહેરુ

                 સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો જન્મ અલ્હાબાદમાં ૧૪.૧૧.૧૮૮૯ ના રોજ થયો હતો. તેમનું શિક્ષણ વિદેશમાં થયું. બેરિસ્ટર થઇ ભારત આવ્યા કે તુરત જ અસહકારની ચળવળમાં તેઓ સક્રિય બની ગયા. જલિયાવાલા હત્યાકાંડ પછી નહેરુ સંપૂર્ણપણે સ્વાધીનતા આંદોલનમાં જોડાયા. એમની અધ્યક્ષતા નીચે ભરાયેલ લાહોર કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્ય ની ઘોષણા કરી. ઇ.સ. ૧૯૪૭ ના ઓગસ્ટની ૧૫ તારીખે જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે વડાપ્રધાન તરીકે નહેરુજીએ શપથ લીધા. જેમનો જન્મદિન બળદિન તરીકે ઉજવાય છે. તે નહેરુચાચાનો બાળકો પ્રત્યેનો પ્રેમ છે. બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને લાગણી માટેએક આખુ પુસ્તક ભરાય એટલા ઉદાહરણોથી ભરપૂર છે. તેઓ ભારપૂર્વક કહેતા હતા કે “બાળક પ્રભુનો પયગંબર છે”.  

No comments: