Thursday 9 April 2020

9 મી નવેમ્બર

શ્રીમદ્ રાજચંદ્ર

                ગાંધીજીએ જેમને પોતાના આધ્યાત્મિક ગુરુ માન્યા છે તેવા શ્રીમદ રાજચંદ્રનો જન્મ તા.09.11.1867 ના રોજ સૌરાષ્ટ્રના વાવણિયા ગામમાં થયો હતો. તે દિવસે દેવદિવાળી હતી. તેમનું સાચું નામ રામચંદ્ર હતું. પ્રાથમિક શિક્ષણ માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં પૂરું કરી આઠ વર્ષની ઉંમરે કવિતા લખવાનું પણ શરૂ કર્યું હતું. 
                   માત્ર 20 વર્ષની ઉંમરે 'શતાવધની' બન્યા. તેઓ સાચા અર્થમાં 'સંસારી યોગી' હતા. તેમણે 'આત્મસિદ્ધિ-શાસ્ત્ર' નામના અદ્વિતીય ગ્રંથની રચના કરી હતી. ' નેમિરાજ' નામનું પાંચ હજાર શ્લોકોનું એક મહા કાવ્ય પણ લખ્યું હતું. તેમણે 'મોક્ષમાળા' અને 'પુષ્પમાળા' નામના વિચાર પ્રેરક ગ્રંથોની પણ રચના કરી હતી. 

No comments: