Thursday 9 April 2020

18 મી નવેમ્બર

જયંતિ દલાલ

                       ગુજરાતી રંગભૂમિના મૂર્ધન્ય દિગ્દર્શક,નવલકથાકાર, નાટ્યલેખક શ્રી જયંતિ દલાલનો જન્મ  તા.18.11.1909 માં અમદાવાદમાં થયો હતો. ગુજરાત કોલેજના પ્રિન્સિપાલ સામે સૌ પ્રથમ આંદોલન ચલાવેલું. તે છેક મહા ગુજરાતની સ્થાપના અંગે ચળવળમા પણ તેઓ અગ્રેસર રહ્યા. 'ગતિ' સાપ્તાહિક અને 'રેખા' માસિક પત્રો તેમણે સંભાળેલા તો શહેરી સમાજનું માર્મિક દર્શન એમના સાહિત્યનો મુખ્ય વિષય હતો. 'આ ઘેર પેલે ઘેર' , 'અડખે પડખે' વગેરે એમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ' આભલાનો ટુકડો' , 'મુકમ કરોતિ' જેવી વાર્તાઓ અને ટોલ્સટોય કૃત 'યુદ્ધ ને શાંતિ' જેવા અનુવાદ આપેલ છે. રંગભૂમિ ઉપરાંત રેડિયો માટે પણ એકાંકી લખ્યા છે. 61 વર્ષની વયે એમનું અવસાન થયું.  

No comments: