Sunday 12 April 2020

20 મી નવેમ્બર


મણિશંકર રત્નજી ભટ્ટ કાન્ત

       ઉત્તમ ખંડકાવ્યો અને ઉર્મિકાવ્યોના સમર્થ કવિ શ્રી કાન્ત નો જન્મ સૌરાષ્ટ્રમાં લાઠી પાસેના ચાવંડ ગામે તા. 20.11.1867 ના રોજ થયો હતો. તેઓ હિંદુ હોવા છતાં ખ્રિસ્તી ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા હતા.પંદર વર્ષની વયે તો દલપતરામની શૈલીની કવિતા લખવા માંડી હતી. કવિ કાન્ત મહારાજા ભાવસિંહજીના પ્રીતિપાત્ર હતા. પોતાનાંકાવ્યોનો સંગ્રહ પૂર્વાલાપ’ નામે પ્રગટ કરવા છાપખાનામાં મોકલ્યો અને પોતે કાશ્મીરની મુસાફરીએ નીકળ્યા. ત્યાંરસ્તામાં લાહોર પાસે ટ્રેનમાં ઇ.સ. 1923 માં અવસાન પામ્યા.

No comments: