Tuesday 14 April 2020

25 મી નવેમ્બર


ગુણવંતરાય આચાર્ય

          સાગર-સાહસની નવલકથાઓ લખનાર ગુણવંતરાય આચાર્યનો જન્મ સોરઠ પ્રાંતના જેતલસરમાં થયો હતો. મેટ્રિક થઇ મુંબઇમાં પત્રકાર બનવાની તાલીમ મેળવવી શરૂ કરી. અને અનેક વર્તમાનપત્રોના તંત્રી વિભાગમા કામ કર્યા બાદ લેખન જીવનની શરૂઆત કરી. પીરમનો પાદશાહ અને સોરઠીએ સમશેર નવલકથાઓથી શરૂ થયેલી તેમની સાહિત્યયાત્રા  ધ્રુવાદેવી સુધી અવિરત ચાલ્યા કરી છે. ખૂબ લોકપ્રિય થયેલી દરિયાલાલ નવલકથાને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો. જાસૂસી નવલકથાપણ તેમણે લખી હતી. ટૂંકી વાર્તાના બારેક સંગ્રહો તેમણે પ્રસિદ્ધ કર્યા હતા. તા. 25.11.1965 ના રોજ તેમનું અવસાન થયું.     

No comments: