Saturday 4 April 2020

૬ ઠ્ઠી નવેમ્બર


નથુરામ શર્મા

               એક સામાન્ય શિક્ષકમાંથી સનાતન ધર્મના આચાર્ય તરિકે પ્રસિદ્ધ થયેલા નથુરામ શર્માનો જ્ન્મ લિંબડી પાસેના એક ગામમાં થયો હતો. કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી પોરબંદર પાસેના અડવાણામાં બાર રૂપિયાના માસિક પગારે તેઓ શિક્ષક તરીકે જોડાયા. દરમિયાન કબીર સાહેબ અને દાદુજીની વાણીની તેમના પર ભારે અસર થઇ. એક દિવસ નથુરામ ઘર છોડી ગિરનાર ઉપર હનુમાનધારા પાસેના એકાંત સ્થળમાં સમાધિ લગાવી હતી. દરમિયાન નથુરામ શર્માએ બીલખામાં આનંદાશ્રમ બાંધ્યો. પોતાના જીવનના લગભગ સાદા ત્રણ દાયકાનો સમય આ આશ્રમમાં વિતાવ્યો. તા.6-11-1931 ના રોજ 73 વર્ષની ઊંમરે પાટ ઉપર બેઠાં બેઠાં જ પોતાના સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો.

No comments: