Tuesday 20 October 2015

૨૧ મી ઓક્ટોબર

જયપ્રકાશ નારાયણ

          જયપ્રકાશ નારાયણનો જન્મ તા. ૨૧-૧૦-૧૯૦૨માં વિજયાદશમીના દિવસે થયો હતો. કૉલેજ શિક્ષણ દરમિયાન જ તેમને રાષ્ટ્રીયતાના સંસ્કાર મળ્યા હતા. ઉચ્ચ શિક્ષણ મેળવવા અમેરિકા જઇ ભણતર અને ઘડતર બંને મેળવ્યા.આદર્શ દંપતિએ આજીવન બ્રહ્મચર્યનું  પાલન કર્યું. અમેરિકાથી પાછા ફર્યા ત્યારે જયપ્રકાશજી સામ્યવાદી રંગે રંગાઇ ચૂક્યા હતા. બિહારના દુષ્કાર વખતે, ગુજરાતના નવનિર્માણ આંદોલનમાં, બિહાર આંદોલન તેમજ કટોકટી વખતે તેમણે જબરજસ્ત ભૂમિકા ભજવી હતી. ઇ.સ. ૧૯૭૯માં તેઓ ચિરનિદ્રામાં પોઢી ગયા.   

No comments: