Wednesday 14 October 2015

૧૪ મી ઓક્ટોબર

નિખિલ બેનર્જી


              સમર્થ સિતારવાદક નિખિલ બનર્જીનો  જન્મ તા. ૧૪-૧૦-૧૯૩૧ ના રોજ કલકતામાં થયો હતો. માત્ર નવ વર્ષની ઉંમરે સિતારકલામાં પ્રવીણ બની ગયા હતા. કલકતામાં અલીઅકબરખાન કૉલેજ ઑફ મ્યુઝિક માં અધ્યાપક તરીકે નિમણૂંક પામીને, સંગીતના વિકાસ અને વિસ્તાર માટે યોગદાન આપતા રહ્યા. તેમના વાદનમાં પ્રારંભિક આલાપથી શરૂ કરીને ઝાલા સુધી સમાનતા બની રહે છે. વગાડતી વખતે પોતાના પ્રકારો ગમક, સપાટ, બઢત વગેરે પ્રસ્તુત  કરવા તેમજ મિજરાબના વિભિન્ન બોલો રજૂ કરવામાં. તેઓ એમ માનતા કે મહાન કલાકાર એ છે કે જે પોતાની કલામાં એવી નવીનતા ઉત્પન્ન કરે કે શ્રોતાઓને રસ પડે તો જ સંગીત લોકહ્રદય સુધી પહોંચે છે. ઇ.સ. ૧૯૮૬ માં તેઓનું અવસાન થયું.

No comments: