Friday 23 October 2015

૨૪ મી ઓક્ટોબર

રાજવી ભગવતસિંહજી

          ભગતસિંહજીનો જન્મ તા. ૨૪-૧૦-૧૮૬૫ના રોજ ધોરાજી ખાતે થયો હતો. તેમણે રાજકુમાર કૉલેજમાં અંગ્રેજી કેળવણી લીધી. પછી તો ઘણી ડિગ્રીઓ પરદેશમાં પણ મેળવી હતી. પિતાના અવસાન પછી ગોંડલના રાજવી બન્યા તેમણે  એવી દીર્ઘર્દષ્ટિથી રાજ્ય ચલાવ્યું કે ગોંડલના રાજયનો ખૂબ ઝડપથી વિકાસ થયો અને પોતે પ્રજાપ્રિય થઇ પડ્યા. તેમણે રાજ્યમાં દરેક અઠવાડિયે ઓફિસરોની મુલાકાત લઇ કામકાજની તપાસ કરતા હતા. તેમને સૌથી વધુ કીર્તિ અપાવનાર તેમણે તૈયાર કરેલ ભગવત ગોમંડલ નામનો મહાન શબ્દકોશ છે. ૧૬ વર્ષની મહેનતના  અંતે ૨૫મી ઓગસ્ટ ૧૯૪૪ના રોજ ૯૦૨ પાનાનો દળદાર પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયેલા કુલ નવ ભાગથી બનેલા આ કોશમાં ૨,૮૧,૩૭૭ શબ્દો અને ૯૨૭૦ જેટલા પાનાં છે. ભગવતસિંહજીએ ગુજરાતી ભાષાની ઉતમ સેવા કરી છે.

No comments: