Thursday 15 October 2015

૧૫ મી ઓક્ટોબર

શેખાદમ આબુવાલા
           શેખાદમનો જન્મ અમદાવાદમાં તા. ૧૫.૧૦.૧૯૨૯ ના રોજ થયો હતો. શેખાદમ બાળક હતા  ત્યારે ધિરતે બાદલ’,ખૂલતે બાદલ જેવા સંગ્રહ ની રચના કરી હતી. તેમણે એમ.એ. ની ડિગ્રી મેળવી શિક્ષક તરીકે સેવા પણ બજાવી હતી. વિદ્યાર્થી સમયકાળ દરમિયાન તેમનાં ત્રણ કાવ્યો સંસ્કૃતિ માં પ્રગટ થયા.શેખાદમનાં લગભગ ૧૪ જેટલાં કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા છે. ગઝલે સનમ, સોરી લટ વગેરેના સર્જનથી તેમને પ્રસિદ્ધિ મળી. તેમની નવલકથાઓમાં તું એક ગુલાબી સપનું છે.’, ફૂલ બનીને આવજે’,આયનામાં કોણ છે વગેરેનો સમાવેશ થય છે. શેખાદમ રચિત ગીતો વિખ્યાત ગાયક પંકજ ઉધાસના સ્વરથી ગવાયેલાં છે. ઇ.સ. ૧૯૮૫ માં તેમનું અવસાન થયું.

મોગલ સમ્રાટ અકબર
               અકબરનો જન્મ તા. ૧૫ ઓક્ટોબર ૧૫૪૨ ના રોજ ઉમરકોટના કિલ્લામાં થયો હતો. તે સમયે તેમના પિતા દુશ્મનોના હુમલાથી નાસભાગ કરતા હતા.
        સીડી પરથી ગબડી પડતાં પિતા હુમાયુ મૃત્યુ પામ્યા હતા. તેથી માત્ર ૧૩ વર્ષની ઉંમરે તેમને રાજ્ય વહીવટ સંભાળવાની જવાબદારી લેવી પડી હતી. રઝળપાટના લીધે અકબર અક્ષરજ્ઞાનથી વંચિત રહી ગયા હતા. અકબર દૂરંદેશી હતા. તેણે હિંદુઓને પોતાના મિત્રો બનાવ્યા હતા. રાજસ્થાનની રાજકન્યા જોધાબાઇ સાથે લગ્ન કર્યા. પોતાના દરબારમાં હિંદુઓને ઊંચા હોદ્દા આપ્યા.   જજિયાવેરો નાબૂદ કર્યો. તેમના દરબારમાં બીરબલ, તાનસેન, ટોડરમલ જેવા નવરત્નો બિરાજતા હતા. બધા ધર્મોનો સાર લઇ તેમણે એક નવા માનવતાવાદી વિશ્વ ધર્મ દિને ઇલાહી ને સ્થાપના કરી હતી.



No comments: