Tuesday 13 October 2015

પાવાગઢ -ચાંપાનેર

                        પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકા પાસે આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક મહત્વનું તીર્થસ્થળ ગણાય છે.


         શ્રદ્ધાળુઓને પાવાગઢ પર ખૂબ જ શ્રદ્ધા છે. લોકો નવરાત્રીના નવ દિવસે વિશેષ પાવાગઢ જવાનું પસંદ કરે છે. દર વર્ષે નવરાત્રિ દરમિયાન હજારો દર્શનાર્થી પગપાળા મહાકાળી માતાજીના ધામમાં આવે છે. અને સમગ્ર ગુજરાતમાં કાળકા માતાના ગરબા ઘેર-ઘેર ગવાય છે. પાવાગઢની મહાકાળી માતાજીની શકિતપીઠ મહાશક્તિશાળી કહેવાય છે.
                 રમણીય પાવાગઢ પર્વતની તળેટીમાં વસેલું અનેક શિલ્પ-સ્થાપત્યો અને જાહોજલાલીપૂર્ણ ઈમારતોનો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતું નાગર એટલે ચાંપાનેર. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ અનુસાર ખડચંપાના રંગની આ ભૂમિ પર વનરાજ ચાવડાના મંત્રી ચાંપાએ ચાંપાનેર નગર વસાવ્યું હોવાનું મનાય છે.

આવી જ પાવાગઢ -ચાંપાનેર વિશેની અવનવી વાતો જાણવા માટે અને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થયેલ અને વિશ્વ વિરાસત ધાર્મિક સ્થળ વિશેની માહિતી પૂરી પાડતી અને પ્રવાસીઓ માટે માર્ગદર્શન રૂપ પાવાગઢ-ચાંપાનેરની વેબસાઇટ તારીખ ૧૩/૧૦/૨૦૧૫ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલની હાજરીમાં પાવાગઢ ધાર્મિક સ્થળ ખાતેના વિકાસ કામોના ભૂમિપૂજન કાર્યક્રમ અંતર્ગત તેમના શુભ હસ્તે ખુલ્લી મૂકવામાં આવી. જેમાં ચાંપાનેરનો ઐતિહાસિક ઇતિહાસ,સ્થાપત્યો અને લોકવાયકાઓ તેમજ પ્રવાસ સ્થળ તેમજ અન્ય પ્રવાસીય સુવિધાઓ વિશેની માહિતી મૂકવામાં આવેલ છે. તો અવશ્ય મુલાકાત લો. 




હેલ્પ લાઈન નંબર
(02676) 293110/293048

 ઈમેલ

info@pavagadhchampaner.com

No comments: