Tuesday 3 September 2013

વિરાસત વન,પાવાગઢ,હાલોલ

           
મુખ્ય પ્રવેશદ્વાર 
વિરાસત વન ડિઝિટલ માન-ચિત્ર
  વિરાસત વન હાલોલ તાલુકાના જેપુરા ગામ પાસે નવનિર્મિત બાયપાસ રોડ પર સ્થિત છે. જે હાલોલથી ૬ કિમીના અંતેરે આવેલું એક રમણીય પર્યટન સ્થળ છે. સંયુકત રાષ્ટ્રસંધે ર૦૧૧ના વર્ષને આંતરરાષ્ટ્રીય વન વર્ષ’ તરીકે જાહેર કર્યું તે અંતર્ગત ૬૨ મા  વન મહોત્સવ વિશ્વ વિરાસત ચાંપાનેર અને શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાના સાંનિધ્યમાં વિરાસત વન નિર્માણ કરવામાં આવ્યું. અને ગુજરાત રાજયના મુખ્યમંત્રી ના હસ્તે તા. ૩૧ જુલાઇ ૨૦૧૧  ના રોજ વૃક્ષારોપણ કરી ૬૨મા વનમહોત્સવનો રાજ્યમાં પ્રારંભ કરવામાં આવ્યો. અને આ વિરાસત વન પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.

વિરાસત વન પહેલું કદમ 

વિરાસત વન બીજું ડગલું 

આકર્ષક  બાગ અને માર્ગ 
  ગુજરાત રાજ્યમાં વિવિધ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં ગાંધીનગર સ્થિત  (ર૦૦૪)માં પૂનિત વનઅંબાજી સ્થિત (ર૦૦પ) માં માંગલ્ય વનતારંગા તીર્થ સ્થિત  (ર૦૦૬)માં તીર્થંકર વનસોમનાથ સ્થિત (ર૦૦૭)માં હરિહર વનચોટીલા સ્થિત (ર૦૦૮)માં ભકિતવનશામળાજી સ્થિત (ર૦૦૯)માં શ્યામલ વનપાલીતાણા સ્થિત (ર૦૧૦) પાવક ,પાવાગઢ સ્થિત (૨૦૧૧) વિરાસત વન વગેરે નો સમાવેશ થાય છે.  
મઢુલી 
                                                                        પાવાગઢ મહાકાલી શકિતપીઠનું તીર્થક્ષેત્ર છે અને કરોડો ભાવિકોની આસ્થાનું યાત્રાધામ છે. પવિત્ર યાત્રા ધામ પાવાગઢ ચાંપાનેર નો વર્લ્ડ રેટીટેઝમાં સમાવેશ થયા બાદ યાત્રિકો સાથે સહેલાણીઓ અને ઐતિહાસિક વિરાસત માં માનનારા પ્રજાઓને વધારો થયો છે. વૃક્ષ ચેતનાનો સાક્ષાત્કાર કરીને શ્રદ્ધા ભાવે ભક્તિ કરે તે હેતુથી ૪૦ લાખ ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. જેમાં શરૂઆતમાં ૪૦      લાખ રોપાઓ રોપવામાં આવ્યા. 
સરોવર
 પાવાગઢના વિરાસત વનમાં સાત અભિનવ પ્રકારના વનનું નિર્માણ કરવામાં આવેલ છે. પાવાગઢ-ચાંપાનેરમાં વિરાસત વનના નિર્માણ માટે જેપુરા નજીક હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર પ૧ વિઘા જમીન (૬.પ હેકટર) માં ૯૬૬૦ જેટલા વૃક્ષો વિવિધ પ્રકારની ૩૦ થી અધિક વૃક્ષોની જાતોમાં ઉછેરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિમાં ઔષધ તરીકે વપરાતી આરોગ્ય માટેની મહત્વપૂર્ણ ઔષધીય વૃક્ષોનો વાવેતર કરવામાં આવેલ છે. અને વૈદિક ઔષધિઓ અંગેનું જ્ઞાન આપવા માટે પોસ્ટરો પણ મૂકવામાં આવેલ છે. . વિરાસત વનમાં સાંસ્કૃતિકનિસર્ગ અને જૈવિક વન આજીવિકા સાંસ્કૃતિકનિસર્ગ અને જૈવિક વન પંચવટી રાશિ અને નક્ષત્ર વન જેવા અલગ-અલગ વિભાગો તૈયાર કરી આકર્ષક બાગની રચના કરવામાં આવેલ છે. જેમાં આરાધ્ય વન વૃક્ષોનું આધ્યાત્મિક મહત્વઆરોગ્ય વન-વૃક્ષોનું ઔષધિય મહત્વઆજિવિકા વન આર્થિક સંપતિનું મહત્વઆનંદ વન વૃક્ષરાજીનો મનોરંજન મહિમાસાંસ્કૃતિક વન-વૃક્ષોનો સાંસ્કૃતિક મહિમાનિસર્ગવન-પંચમહાભૂતોના પર્યાવરણનો મહિમા અને જૈવિક વન-પાવાગઢ વન ક્ષેત્રની જૈવિક વિવિધતાનો મહિમા ઉજાગર કરે છે.  
સરોવર-દ્રશ્ય-૨



લાકડીયો પુલ 


પાવગઢ દર્શન 

બાળ-વિભાગ

આ ઉપરાંત  પાવાગઢના આધ્યાત્મિક, ઐતિહાસિક, પુરાતત્વીય, પુસ્તકીય અને પરિસરીય પર્યાવરણના અદ્દભૂત સૌન્દર્યનું મહાત્મ્ય ઉજાગર કરવા વિરાસત વનમાં  સવિશેષ પ્રબન્ધ કરવામાં આવ્યો છે.તથા  બાગ, બગીચો, બાળકો માટે હીંચકા ઝૂલા, લપસણી જેવા મનોરંજન વિભાગ, સરોવર, ફુવારા લાકડાના દર્શનીય પૂલ, ગામડી જુવડીયો (મઠુલી) જેવા સ્થાપત્ય ઉભા કરવામાં આવ્યા છે. તેથી પર્યટકો અને શાળા પ્રવાસ માટે અને બાળકો માટે પિકનિક એક અગ્રિમ સ્થાન બનવા પામેલ છે. 




photography by-kiran chavada
tarkhanda

No comments: