Thursday 13 April 2017

૯ મી એપ્રિલ

રાહુલ સાંકૃત્યાયન


           મહાપંડિત રાહુલ સાંકૃત્યાયનનો જન્મ ઉત્તરપ્રદેશના એક ગામમાં તા. ૦૯.૦૪.૧૮૯૩ ના રોજ થયો હતો. જ્ઞાનાર્જનની તીવ્ર પીપાસા સંતોષવા ઘેરથી નાસી જઇ બિહારના એક મઠમાં અભ્યાસ કરવા માંડ્યો અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. લગભગ ૧૭૫ જેટલી કૃતિઓના વિશાળ ફલક પર એમણે રાજનીતિ,ધર્મ, સમાજશાષ્ત્ર, નવલકથાઓ, નાટકો વગેરે અનેક વિષયોપર આલેખન કર્યું. વિશ્વની કુલ ૩૬ ભાષાઓ તેઓ જાણતા. ભારત સરકારે તેમને પદ્મભૂષણ પણ બનાવ્યા. ઇ.સ. ૧૯૬૩ માં દાર્જિલિંગમાં તેમનું અવસાન થયું. 

No comments: