Thursday 20 April 2017

૧૯ મી એપ્રિલ

તારાબેન મોડક

                 શ્રીમતી તારાબહેન મોડકનો જન્મ તા. ૧૯.૦૪.૧૮૯૨ ના રોજ થયો હતો. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને, પોતાની બધી શક્તિઓને એમણે બાલશિક્ષણમાં વાપરી, સમાજની સેવા કરી. તેઓ શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં જોડાયા. તારાબહેન ગાંધીજીની પ્રેરણાથી કોસવાડમાં આદિવાસી બાળકો માટે પારણા ઘર, બાલવાડી, પ્રાથમિક શાળા, રાત્રી શાળાઓ જેવી શિક્ષણ સંસ્થાઓની પરંપરા શરૂ કરીને કેળવણીનો યજ્ઞ શરૂ કર્યો. તેઓ મોન્ટેસરી સંમેલનમાં ભાગ લેવા યુરોપ પણ ગયા હતા. તેમણે બાળસાહિત્યના પુસ્તકો ઉપરાંત શિક્ષણ અંગેનાં ઘણા પુસ્તકો પણ લખ્યાં છે. ભારત સરકારે તેમને પદ્મભૂષણ ખિતાબ અર્પણ કરીને તેમનું બહુમાન કર્યું હતું. બાળકોને સમજવાની અને તેમને પ્રેમથી વશ કરી લેવાની તેમનામાં જન્મજાત શક્તિ હતી. ૮૧ વર્ષની વયે મુંબઇમાં તેમનું થયું ત્યારે કેળવણી કારોએ ગુજરાતના મોન્ટેસરી કહીને બિરદાવ્યા હતા.


લાલા હંસરાજ

         લાલા હંસરાજનો જન્મ તા. ૧૯.૦૪.૧૮૬૧ ના રોજ પંજાબના એક ગરીબ ખત્રી પરિવારમાં થયો હતો. કૉલેજ પૂર્ણ કર્યા બાદ મિત્ર ગુરૂદત્ત સાથે મળી ૧૮૮૨ માં રીજનરેશન ઓફ આર્યાવર્ત નામનું એક અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું હતું. તેઓ આર્યસમાજમાં જોડાયા.

        સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન બાદ દયાનંદ એંગ્લો વૈદિક કૉલેજ ની લાહોરમાં સ્થાપના કરી. માત્ર પચ્ચીસ રૂપિયા જેટલું માનદ વેતન લઇ તેઓએ કુલપતિ પદ સંભાળ્યું હતું. તેમણે શિક્ષણ દ્વારા સમાજ-સુધારણાનો સિદ્ધાંત અપનાવ્યો હતો.  

No comments: