Thursday 5 November 2015

૩ જી નવેમ્બર

પૃથ્વીરાજ કપૂર
 

             ભારતીય સિનેમા જગતના ચરિત્ર અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા શ્રી પૃથ્વીરાજનો જન્મ પેશાવરમાં તા. ૦૩.૧૧.૧૯૦૬ ના રોજ થયો હતો. અભ્યાસ છોડી દઇ તેઓ અભિનય ક્ષેત્રે ઝંપલાવવા મુંબઇ આવી પહોંચ્યા. કોઇ પણ પાત્રને તેઓ સહજતાથી સ્વીકારી લેતા હતા અને પાત્રમય બની જતા હતા. સિને સૃષ્ટિમાં તેમણે અડધી સદી સદી સુધી સફળતાપૂર્વક કામ કર્યું અને સફળ નામાંકિત ફિલ્મો આપી. તેમણે પૃથ્વી થિએટરની સ્થાપના કરી.અભિજ્ઞાનશકુંતલ ના નાટ્યસ્વરૂપને તેમણે રંગમંચ પર રજૂ કર્યું. સોળ વર્ષ સુધી ૧૦૦ જેટલા કલાકારો નિભાવતી આ નાટ્યસંસ્થા દેશને ખૂણે ખૂણે નટકોરજૂ કરતી. તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. ઇ.સ. ૧૯૭૨ મી તેમનું અવસાન થયું. 

No comments: