Wednesday 18 March 2015

ભગવતસિંહજી

ભગવતસિંહજી

                   પોતાને રાજા નહીં પણ પ્રાજાના ટ્રસ્ટી સમજનાર નોખી માટીના મહામાનવ ભગવતસિંહજીનો જન્મ તા. ૨૪.૧૦.૧૮૬૫ ના રોજ ધોરાજી ખાતે થયો હતો.તેમણે રાજકુમાર કૉલેજમાં અંગ્રેજી કેળવણી લીધી.પછી તેમણે  ઘણી ડિગ્રીઓ પરદેશમાં મેળવી હતી. પિતાના અવસાન પછી ગોંડલના રાજવી બન્યા. તેમણે એવી દીર્ઘદ્રષ્ટિથી રાજ્ય ચલાવ્યું કે ગોંડલ રાજ્યનો ખૂબ ઝડપથી વિકાસ થયો અને પોતે પ્રજા પ્રિય થયા હતા. તેમણે રાજ્યમાં દરેક ગામે દરવાજો અને શાળાઓ બનાવી હતી. ધોળાથી ધોરાજી સુધીની રેલવે લાઇન તેમના સમયમાં ખુલ્લી મુકાઇ હતી. રાજ્યના એક એક પૈસાની તેમને કિંમત હતી. બિહારમાં થયેલ ધરતી કંપ વખતે ભગવતસિંહજીએ એક લાખ રૂપિયાનો ફાળો આપ્યો હતો. તેમને સૌથી વધુ કિર્તી અપાવનાર તેમણે તૈયાર કરેલ ભગવત્ ગોમંડલનામનો મહાન શબ્દ કોષ છે. ૧૬ વર્ષની મહેનતના અંતે  ૨૫ મી ઑગસ્ટ ૧૯૪ ના રોજ ૯૦૨ પાનાનો દળદાર પ્રથમ ભાગ પ્રસિધ્ધ થયેલો. કુલ નવ ભાગમાં બનેલા આ કોષમાં ૨,૮૧,૩૭૭ શબ્દો અને ૯૨૭૦ જેટલાં પાનાં છે. જ્યાં જરૂર જણાય ત્યાં સચિત્ર વર્ણન કરવામાં આવ્યું છે. આ શબ્દકોષની ગાંધીજીએ ખૂબ પ્રશંસા કરી જણાવેલું કે : આ ગ્રંથની પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી ભગવતસિંહજીએ ગુજરાતી ભાષાની ઉત્તમ સેવા કરી હતી. આને કારણે માત્ર ગોંડલ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી તેમના ઋણી રહેશે.

No comments: