Friday 20 December 2013

૨૦ મી ડિસેમ્બર

ચૈતન્યપ્રસાદ દીવાનજી

       ચૈતન્યપ્રસાદનો જન્મ તા. ૨૦-૧૨-૧૮૯૮ ના રોજ ભૂજ ખાતે થયો હતો. મેટ્રિક થઇ ગુજરાત કૉલેજમાં જોડાયા ત્યાં ગાંધીજીની અસહકારની ચળવળ જાગી તેમાં સક્રિય રહીને છ માસની જેલ પણ ભોગવી. ગુજરાત સાહિત્ય સભાના મંત્રી તરીકેની તેમની સેવા અનન્ય હતી. ક્રિકેટ બોર્ડના ગુજરાતના પ્રતિનિધી તરીકે ગુજરાતનું નામ રોશન થાય એ માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેતા. ૭૨ વર્ષની વયે અમદાવાદમાં એમણે ચિર વિદાય લીધી. 

No comments: